ગુજરાતમાં આગમી 15 જૂનથી ચોમાસું જામે તેવી શક્યતા જોવા મળી રહી છે, હવામાન વિભાગના મતે દક્ષિણ ભારતમાં 1થી 3 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ શકે છે.
અમદાવાદમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના સ્થળને લઈને આયોજકો અસમંજસમાં હતા. બાદમાં હવે સ્થળ બદલવા અંગે આયોજકોએ નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે હવે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ઓગણજ પાસે યોજાશે. પ્રમુખ સ્વામી મહોત્સવ જે સ્થળે યોજાયો હતો તે જ સ્થળે ધીરેન્દ્ર શાસ્ત્રીને દિવ્ય દરબાર માટે જગ્યા ફાળવવામાં આવી છે. મહત્વનું છે કે બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો સુરત બાદ 29 અને 30 મેના રોજ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય ભરાવાનો છે. ચાણક્યપુરીના આયોજકો અને પોલીસ સામ-સામે આવી ગયા બાદ. અંતિમ સમયમાં વ્યવસ્થા અંગે બાદલાવ કરાયો છે.મહત્વનું છે કે આ અગાઉ આયોજકો દિવ્ય દરબાર ચાણક્યપુરીમાં યોજવા માટે અડગ હતા. જેમાં ટિકિટોની ફાળવણી કરી દેવામાં આવી હોવાથી આયોજકો એકના બે થતા ન હતા આથી પોલીસ અને આયોજકો આ મામલે આમને સામને આવી ગયા હતા. બાદમાં લાંબા વિવાદ બાદ આખરે આયોજકોએ ઝુકવું પડ્યું છે અને પોતાનો નિર્ણય પાછો ખેંચીને ઓગણજમાં દિવ્ય દરબાર યોજવાનું નક્કી કરાયું છે.
ઉનાળો હાલ આકરું રૂપ ધારણ કરી રહ્યો છે. તો બીજી બાજુ ચોમાસુ કેવું રહેશે? અને ક્યારથી ચોમાસાનું આગમન થશે? તે મામલે જાણવા લોકો અધિરા બનતા જઇ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં આગમી 15 જૂનથી ચોમાસું જામે તેવી શક્યતા જોવા મળી રહી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ભારતમાં 1થી 3 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. ઉત્તર ભારતમાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ થવાની પણ શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં ઉતરતા વરસાદ થશે તો ચોમાસાની ગતિવિધિ નિયમિત થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હવાનું હળવું દબાણ સર્જાઈ શકે છે. તો હવાના દબાણના કારણે વાવાઝોડું આવવાની પણ શક્યતા જોવા મળી રહી છે.બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 22, 23, 24 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને 4, 5, 6 જૂનના રોજ ગુજરાતમાં છુટાછવાયો વરસાદ પડી શકે તવી આગાહી કરી છે, વધુમાં. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના પણ વ્યકત કરી છે.
અમદાવાદમાં આઇપીએલની ફાઇનલ મેચ રોમાંચક મોડ પર આવી ગઇ છે ત્યારે અમદાવાદમાં તેનો ફીવર દેખાઇ રહ્યો છે. આઇપીએલની મેચ જોવા માટે રાજ્યની અલગ અલગ જગ્યા પરથી ક્રિકેટરસિયાઓ આવી ગયા છે તો બીજી તરફ લોકો ચાર ગણા ભાવ આપીને પણ ટિકિટ ખરીદી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ક્રિકેટરસિયાઓની ગરજને જોતાં કાળાં બજારિયા એક્ટિવ થયા છે અને બે ત્રણ ગણા ભાવે ટિકિટ વેચીને તગડો નફો કમાઇ રહ્યા છે. એરપોર્ટ પોલીસે સરદારનગર વિસ્તારમાંથી ટિકિટનાં કાળાં બજાર કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસને શખ્સ પાસેથી 10 ટિકિટ મળી આવી છે. જેનું તે જાહેર રોડ પર કાળાં બજાર કરતો હતો.આઇપીએલની ટિકિટનું સેટિંગ થાય તેવું છે, ટિકિટના જોઇએ તેવા ભાવ આપવા માટે તૈયાર છીએ, દસ ટિકિટ જોઇએ છે આવા ફોન આજે મોટાભાગના લોકો પર આવી રહ્યા છે. શહેરમાં આઇપીએલનો ફીવર ચાલી રહ્યો છે. આવતી કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અંતિમ મેચ રમાવવાની છે. જેમાં લાખો ક્રિકેટપ્રેમી મેચ જોવા માટે આવશે. જે લોકો પાસે ટિકિટ આવી ગઇ છે તેમણે તૈયારીઓ કરી લીધી છે પરંતુ જેમની પાસે ટિકિટ નથી આવી તે લોકો ઊંચા ભાવે પણ ટિકિટ ખરીદવા માટે તૈયાર થઇ ગયા છે. ક્રિકેટરસિયાઓની લાલચને જોઇને કાળાં બજારિયા માર્કેટમાં ધૂમ મચાવવા માટે આવી ગયા છે. જેને રોકવા માટે પોલીસ પણ એક્ટિવ થઇ ગઇ છે.
બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત પધાર્યા છે. 7 જૂન સુધી ગુજરાતના 4 શહેરોમાં તેમના કાર્યક્રમો યોજવાના છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે ધીરેન્દ્ર શાસ્ત્રીઅંબાજી માતાજીના દર્શન કરવા માટે જશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રવાસે અંગે ઈસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવિણ કોટકનું નિવેદન સામે આવ્યું છે. પ્રવિણ કોટકે કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીઅંબાજી દર્શન કરવા માટે જશે. તેઓ હેલિકોપ્ટરમાં અંબાજી જશે. અંબાજીમાં ધીરેન્દ્ર શાસ્ત્રી પૂજા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ બપોરે 1 વાગ્યે ઈસ્કોન અંબેવેલી અંબાજીમાં વિશ્રામ કરશે. આંબેવેલીમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 5 વાગ્યે ધીરેન્દ્ર શાસ્ત્રી ઝુંડાલના કાર્યક્રમમાં જશે. ધીરેન્દ્ર શાસ્ત્રી કોટક હાઉસમાં રાત્રી રોકાણ કરશે.
દેશમાં ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવા બનાવ અવારનવાર સામે આવે છે. ત્યારે અમદાવાદમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર માટે તેવી રીતે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનું અપહરણ કરી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે સુરજ સોલંકી, એક મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરી છે. સમગ્ર ઘટના વિશે ઝોન-7ના DCP બી.યુ જાડેજાએ વિગતવાર જણાવ્યું કે, હાલમાં સમગ્ર રાજ્યમાં ગુમ થયેલ મહિલાઓને શોધી કાઢવા બાબતની ડ્રાઈવ ચાલી રહી છે. આ ઝૂંબેશના ભાગરૂપે પાલડી પોલીસ સ્ટેશનમાં છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ખાતે રહેતી અને મૂળ જૂનાગઢની ધારા કડીવાર નામની યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી, જે છેલ્લા એકાદ વર્ષથી ગુમ હતી. આ બાબતની ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી મોદી આજે દેશને નવી સંસદની ભેટ આપશે. ઉદ્ધાટનની પૂર્વ સંધ્યાએ સેંગોલ સોંપવા માટે તમિલનાડુના 21 અધિનામ પીએમ મોદીને મળવા તેમના નિવાસસ્થાને આવ્યાં હતા. સેંગોલ મળ્યાં બાદ પીએમ મોદીએ મહંતોને સંબોધન કર્યું હતું. મહંતો સાથેની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું કે સેંગોલ આપણને કર્તવ્યપથ પર ચાલવાની પ્રેરણા આપશે. સેંગોલને છડી કહેવામાં આવી, પરંતુ આજે સેંગોલને ઉચિત માન-સન્માન મળી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "તમિલનાડુએ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભારતની સ્વતંત્રતામાં તમિલ લોકોના પ્રદાનને તે લાયક હતું તેટલું મહત્ત્વ આપવામાં આવ્યું ન હતું. તેમણે કહ્યું હતું કે તમિલ પરંપરામાં જે વ્યક્તિએ શાસન કર્યું તેને સેંગોલ, આપવામાં આવ્યું હતું, સેંગોલ એ પ્રતીક હતું કે તેને ધારણ કરનાર વ્યક્તિ પર દેશના કલ્યાણની જવાબદારી છે અને તે ક્યારેય ફરજના માર્ગથી ભટકાશે નહીં.
રાજધાની દિલ્હીમાં આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ (જીસીએમ)ની 8મી બેઠક મળી હતી. આ બેઠકનો વિષય 'વિકસિત ભારત' હતો. આ બેઠકને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હવે અર્થતંત્રના ટેક ઓફની સ્થિતિ છે. ટૂંક સમયમાં જ ભારત ત્રીજી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને એક સંદેશ પણ આપ્યો હતો.પીએમ મોદીએ કહ્યું કે, દુનિયા ભારત તરફ જોઈ રહી છે. ડિજિટલ સેક્ટરમાં ઘણું કામ થઈ રહ્યું છે. આપણી પાસે મોટી સંખ્યામાં સ્ટાર્ટઅપ્સ છે. પીએમે મુખ્યમંત્રીઓને આ તકનો લાભ લેવા જણાવ્યું હતું. આપણે તક ઝડપી લેવી પડશે. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું કે દુનિયાનું ધ્યાન ભારત પર છે.પીએમ મોદીએ કહ્યું કે 140 કરોડ ભારતીયો માટે એક સમાન વિઝન અને સામાન્ય રણનીતિ હોવી જોઈએ. આ દરમિયાન પીએમે લગભગ 50 હજાર અમૃત સરોવરની વાત કરી હતી. તેમણે શારીરિક શિસ્તની વાત કરી હતી અને કહ્યું હતું કે આપણે ભાવિ પેઢી પર બોજો ન નાખવો જોઈએ.
દિલ્હીનાં દારુ કૌભાંડ મામલાની તપાસ કરીને CBIએ ચાર્જશીટ રાઉઝ એવેન્યુ કોર્ટને સોંપી દીઝી છે. CBIએ ચાર્જશીટમાં કહ્યું કે પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સ્વીકાર્યું છે કે તેમણે 2 મોબાઈલ ફોન નષ્ટ કરી દીધાં હતાં જેમાં ગુનાનાં પુરાવાઓ હતાં. CBI ચાર્જશીટ અનુસાર તપાસ બાદ જાણવા મળ્યું છે કે 1 જાન્યુઆરી 2020થી 19 ઓગસ્ટ 2022 સુધી સિસોદિયાએ 3 મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો જેમાંથી 2 ફોન 22 જૂલાઈ 2022થી પહેલા ઉપયોગમાં લેવાયા હતાં. મનિષ સિસોદિયાએ આ બંને હેંડસેટને નષ્ટ કરવાની વાત કબૂલી છે.CBIએ પોતાની ચાર્જશીટમાં કહ્યું કે આ હેંડસેટ તેમણે જાણી જોઈને નષ્ટ કર્યા હતાં કારણ કે તેમાં નીતિ સંબંધિત કેટલાક પુરાવાઓ હતાં. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે આ સિસોદિયાની સામે કાર્યવાહી કરવા જેવો વધુ એક કેસ છે.
પટનાઃ બિહારના અરરિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંની એક સરકારી શાળાના મધ્યાહન ભોજનમાં એક સાપ મળી આવ્યો છે. આ ખોરાકથી 100 જેટલા બાળકો બીમાર પડ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકો તે વ્યક્ત પણ કરી રહ્યા છે. આ મામલો અરરિયાના ફોર્બ્સગંજ બ્લોક વિસ્તારની અમુના મિડલ સ્કૂલનો છે. અહીં એક NGO દ્વારા આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં એક સાપ જોવા મળ્યો હતો. આ ખોરાક ખાધા પછી ડઝનબંધ શાળાના વિદ્યાર્થીઓ બીમાર પડ્યા. આ પછી, શાળાના બાળકોને ઉતાવળમાં ફોર્બ્સગંજ સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તબીબોની ટીમે બાળકોની સારવાર કરી હતી અને હાલ બાળકો ખતરાથી બહાર છે. આ બાબતની જાણકારી મળ્યા બાદ જિલ્લાના તમામ અધિકારીઓ હોસ્પિટલ ગયા અને બાળકોને મળ્યા. બાળકોને ફોર્બ્સગંજ સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને અધિકારીઓ બીમાર બાળકોને અને તેમના સંબંધીઓને મળ્યા હતા.
सभी बच्चे सुरक्षित और स्वस्थ्य हैं। खाने में सांप पाए जाने से थोड़ी अफरा-तफरी हुई थी लेकिन किसी तरह की कोई परेशानी नहीं है। जांच के लिए टीम गठित की जाएगी और सख्त से सख्त कार्रवाई की जाएगी: फारबिसगंज में एक सरकारी स्कूल में मिड डे मील का खाना खाने से 50 बच्चे के बीमार होने के… pic.twitter.com/ZGq95AkxiM
કર્ણાટક જીતથી ઉત્સાહિત કોંગ્રેસે 2024ની લોકસભાની ચૂંટણીમાં લાભ લેવા માટે એક માસ્ટ્રર સ્ટ્રોક ફટકાર્યો છે. કર્ણાટક કેબિનેટના વિસ્તરણમાં કોંગ્રેસના આ પ્લાનની ઝલક દેખાઈ હતી. હકીકતમાં સિદ્ધારમૈયા કેબિનેટના વિસ્તરણમાં કોંગ્રેસે જાતિગત ફેક્ટરને ધ્યાનમાં રાખીને વધુ મંત્રીઓને કેબિનેટમાં સ્થાન આપ્યું છે. કર્ણાટકમાં 20 મેના રોજ કોંગ્રેસે સરકાર બનાવી હતી. સિદ્ધારમૈયાએ સીએમ અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. હવે એક અઠવાડિયા બાદ શનિવારે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું જેમાં 24 ધારાસભ્યોએ મંત્રી પદે શપથ લીધા હતા. શુક્રવારે સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી ડીકે શિવકુમારે નવી દિલ્હીમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને મંત્રીઓના વિભાગો પર ચર્ચા કરી હતી. હાઈ કમાન્ડની લીલીઝંડી મળ્યાં બાદ કર્ણાટક કેબિનેટનું વિસ્તરણ થયું હતું.
VIDEO | 24 legislators being sworn in as ministers in the first expansion of Karnataka Cabinet in Bengaluru. pic.twitter.com/dLchY2MouO