ગુજરાત સરકારે ઓમિક્રોન ચકાસણી માટેનુ ટેસ્ટિંગ મશીન 15 કરોડમાં અમેરિકાથી ખરીદ્યું. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના કેસમાં ઉછાળો. 70 નવા કેસથી ફફડાટ.રાજ્યના સચિવ પણ સંક્રમિત.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 70 કેસ નવા
અમદાવાદમાં 13, જામનગરમાં 10 કેસ
સચિવાલયના એક સચિવા પણ સંક્રમિત
વિશ્વભરમાં કોરોના સંક્રમણના બદલાયેલા કહેવાતા સ્વરૂપ ઓમિક્રોનની દહેશત વ્યાપી છે. દેશ-વિદેશના મુસાફરોની શારીરિક ચકાસણી થઇ શકે તે માટે ગુજરાત સરકારે ઓમિક્રોન ચકાસણી માટેનુ ટેસ્ટિંગ મશીન ખરીદી લીધું છે. ગુજરાત રાજ્ય સરકારે આ ટેસ્ટિંગ મશીન અમેરિકાથી કરીદ કર્યું છે જેની કિમત 15 કરોડ જેટલી થવા જાય છે. ઓમિક્રોન વેરીયંટની ચકાસણી માટેના અત્યાધુનિક ટેસ્ટિંગ મશીનથી જીનોમ્સ સિકવેસિંગ ટેસ્ટિંગની કામગીરી વધુ ઝડપી બનશે. આ મશીનથી હજારોની સંખ્યામાં જીનોમ્સ સિકવેસિંગની ચકાસણી કરી શકાશે
કોરોનાનો કકળાટ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ ફરી માથું ઉચક્યાનો નાગરિકોને અહેસાસ થઇ રહ્યો છે. ચિંતાજનક રીતે કોરોના સંક્રમણ આગળ ધી રહ્યો હોય તેમ 70 જેટલા કેસ નોંધાયા છે. જેમાં મહાનગરોનો સમાવેશ થવા સાથે ગ્રામ્યમાં પણ સંક્રમણ પ્રસરી રહ્યો છે. આ શૃંખલામાં અમદાવાદમાં 13,જામનગરમાં 10, સુરતમાં 9, વડોદરામાં 12, નવસારીમાં 5, વલસાડમાં 5, કચ્છમાં 3 આણંદ માં 4, રાજકોટમાં 4 કેસ નોંધાયા છે.
નવસારીમાં દહેશત
રાજ્યમાં કોરોના સંક્રમણનો કહેર દબાતે પગલે આગળ ધપી રહ્યો હોય તેમ છેલા બે દિવસમાં દક્ષિણ ગુજરાતના સુરતની બે શાળાઓમાં બાળકો કોરોના પોઝીટીવ આવતા એક સપ્તાહ માટે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે ત્યારે, હવે નવસારી પંથકમાં બે વિદ્યાર્થીઓ સહીત 5 વ્યક્તિ કોરોના સંક્રમિત નિકળતા ફફડાટ વ્યાપી ગયો છે. નવસારીના મલીયાધારા શાળાનાં બે બાળકો કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા એક અઠવાડિયામાં 8 વિધાર્થીઓ પોઝીટીવ આવતા નાના એવા ગામમાં દહેશત ફેલાઈ છે.
સચિવાલય પહોચ્યો કોરોના
ઓમિક્રોન વાયરસની ભીતિ વચ્ચે ગાંધીનગરના સચિવાલયમાં પણ કોરોનાની રિ-એન્ટ્રી થઇ છે. ગાંધીનગર સચિવાલયમાં સામાન્ય વહીવટ વિભાગના સચિવ કોરોના સંક્રમિત થયા છે. બરાબર એક મહિના પછી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2022ની સચિવાલયમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે, સામાન્ય વહીવટ વિભાગના સચિવ સંક્રમિત થતા અન્ય કર્મચારીઓ/અધિકારીઓમાં ભયની લાગણી ફેલાઈ છે.
સુરતમાં ફફડાટ યથાવત
ગુજરાતમાં ઓમિકોનની દહેશત કોરોના સંક્રમણ હજુ પણ ફૂંફાડો મારી રહ્યો છે. સુરતમાં અડાજણની એક શાળામાં ત્રણ વિધાર્થીઓ કોરોના સંક્રમિત થતા મહાનગર પાલિકાએ એક સપ્તાહ માટે શાળા બંધ કરી દેવા આદેશ આપ્યા છે.
મહાનગર પાલિકા સુરતે અડાજણ વિસ્તારની રીવર ડેલ શાળામાં વિધાર્થીઓનું સામૂહિક ટેસ્ટીંગ આયોજિત કર્યું હતું. વિધાર્થીઓને કોરોના સંક્રમણ ટ્રેસ થતા 147 વિધાર્થીઓનો ટેસ્ટીંગ હાથ ધરાયો હતો. મહાપાલિકાના આરોગ્ય વિભાગના રેપીડ એન્ટીજન ટેસ્ટીંગમાં ત્રણ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા પ્રસાશને એક સપ્તાહ માટે શાળા બંધ કરી દેવા આદેશ આપ્યા હતા.
ગુજરાતમાં ઓમિકોનની દહેશત કોરોના સંક્રમણ હજુ પણ ફૂંફાડો મારી રહ્યો છે. સુરતમાં અડાજણની એક શાળામાં ત્રણ વિધાર્થીઓ કોરોના સંક્રમિત થતા મહાનગર પાલિકાએ એક સપ્તાહ માટે શાળા બંધ કરી દેવા આદેશ આપ્યા છે.
મહાનગર પાલિકા સુરતે અડાજણ વિસ્તારની રીવર ડેલ શાળામાં વિધાર્થીઓનું સામૂહિક ટેસ્ટીંગ આયોજિત કર્યું હતું. વિધાર્થીઓને કોરોના સંક્રમણ ટ્રેસ થતા 147 વિધાર્થીઓનો ટેસ્ટીંગ હાથ ધરાયો હતો. મહાપાલિકાના આરોગ્ય વિભાગના રેપીડ એન્ટીજન ટેસ્ટીંગમાં ત્રણ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા પ્રસાશને એક સપ્તાહ માટે શાળા બંધ કરી દેવા આદેશ આપ્યા હતા.