સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના લાખો ખાતાધારકોમે મોટી રાહત આપી છે. હવે 50 હજારથી વધારે રોકડ જમા કરાવવા પર વારંવાર પાનની કોપી અથવા વિવરણ આપવું પડશે નહીં. આ ઉપરાંત જો કોઇ ખાતાધારકના ખાતામાં કોઇ બીજો વ્યક્તિ રોકડ જમા કરી રહ્યો છે અને એનું પાન નથી તો એની ખાતા સંખ્યાને આધાર માનીને રોકડ જમા કરી લેવામાં આવશે.
જો કે એના માટે એનું ખાતુ એસબીઆઇની કોઇ શાખામાં હોવું અને ખાતાધારકનું કેવાઇસી હોવું ખૂબ જરૂરી છે. આ સંબંધમાં એસબીઆઇ મુખ્યાલયે બેંક શાખાઓને નિર્દેશ જારી કરી દીધા છે. શહેરમાં એસબીઆઇની આશરે 12 લાખથી વધારે ખાતાધારકો છે.
જુલાઇ અંતમાં સપ્તાહમાં એસબીઆઇના એમડી રિટેલ અને ડિજીટલ બેકિંગ તરફથી નિર્દેશમા કહેવામાં આવ્યું છે કે હાલના સમયમાં 50 હજાર રૂપિયા રોકડ જમા કરાવવા પર ખાતધારકને પોતાના પાનની કોપી બેંકમાં જમા કરવાની હોય છે. પાન ના હોવા પર ફોર્મ 60 જમા કરવું પડતું હતું. ત્યારબાદ રોકડ જમા કરવામાં આવતી હતી.
હવે આ વ્યવસ્થામાં પરિવર્તન કરી દેવામાં આવ્યું છે. હવે પાન અને ફાર્મ 60 વગર પણ રોકડ જમા કરી શકાય છે. જો કે એની દરેક કેવાઇસી પૂરી થવી જરૂરી છે. સૂત્રોએ જણાવ્યું કે એવું જોવા મળ્યું છે કે તમામ લોકો બેંકમાં 50 હજારથી વધારે કેશ જમા કરવા તો આવે છે પરંતુ પાન સાથે લાવતા નથી અથવા એમની પાસે પાન હોતું નથી. ત્યારબાદ ફોર્મ 60 માટે પણ સંબંધિત ખાતાધારકને પરેશાની થાય છે. એને જોતા નવી જ વ્યવસ્થા કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું કે થર્ડ પાર્ટી રોકડ જમા કરવાના મામલામાં એસબીઆઇએ મોટું પગલું ભર્યું છે. નવી વ્યવસ્થામાં ખાતું જ પાનનું કામ કરશે. આવું થવાથી રોકડ લેણદેણ કરનાર લોકોને સરળતા રહેશે. પાનનો નંબર ભૂલી જવા પર એમને કોઇ સમસ્યા થશે નહીં એ જ દિવસે રોકડ જમા થઇ શકશે.