શુક્રવારથી બીઆરટીએસના 1.40 લાખથી વધુ પેસેન્જરો માટે ત્રણ નવા રૂટ શરૂ કરાશે, જેમાં નહેરુનગરથી સાણંદ સર્કલ, નહેરુનગરથી સાઉથ બોપલ અને મણિનગરથી એરપોર્ટનો સમાવેશ.
સાણંદ-સાઉથ બોપલ ત્રણ નવા BRTS રૂટ
ટાટાની60 ઇલેક્ટ્રિક બસ પણ કોરિડોરમાં મુકાશે
BRTSમાં કુલ 18 રૂટ ધમધમશે;CM હસ્તે લોકાર્પણ
અમદાવાદીઓમાં સ્વચ્છતા, ઝડપ અને નિયમિતતાના કારણે બીઆરટીએસ બસ સર્વિસ દિન-પ્રતિદિન લોકપ્રિય બનતી જાય છે. આ લોકોપયોગી જાહેર પરિવહન સેવાનો તંત્ર દ્વારા વ્યાપ વધારવામાં આવશે.અમદાવાદ શહેરના અન્ય વિસ્તારોને પણ બીઆરટીએસ સાથે સાંકળી લેવાશે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન એવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે આવતી કાલથી બીઆરટીએસના 1.40 લાખથી વધુ પેસેન્જરો માટે ત્રણ નવા રૂટ શરૂ કરાશે, જેમાં નહેરુનગરથી સાણંદ સર્કલ, નહેરુનગરથી સાઉથ બોપલ અને મણિનગરથી એરપોર્ટનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી આપશે લીલીઝંડી
BRTS સત્તાવાળાઓ આવતી કાલથી નહેરુનગરથી કર્ણાવતી ક્લબ, પ્રહ્લાદનગર ક્રોસ રોડ, મકરબા રોડ થઈને સાણંદ સર્કલ સુધીનો નવો રૂટ શરૂ કરશે. ઉપરાંત સત્તાવાળાઓ નહેરુનગરથી સોબો સેન્ટર, સુખાસન ચાર રસ્તા થઈને સાઉથ બોપલ બીઆરટીએસ ટર્મિનસ સુધીના નવા રૂટને પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લીલીઝંડી અપાશે. આવતી કાલથી મણિનગરથી એરપોર્ટ સુધીનો ગીતા મંદિર, કાલુપુર અને સિવિલ હોસ્પિટલ થઈને નવો રૂટ શરૂ થવાનો છે.
આ ઉપરાંત વાસણાથી નરોડા ગામ જતા બીઆરટીએસ રૂટને આવતી કાલથી છ કિમી સુધી લંબાવાયો છે. હવે આ બસ મુક્તિધામ નરોડા, હરિદર્શન ચાર રસ્તા, સ્વામિનારાયણ પાર્ક, સ્થાપત્ય એલિગન્સ થઈને હંસપુરા રિંગરોડ જશે.
ટાટાની 60 ઇલેક્ટ્રિક બસ પણ કોરિડોરમાં મુકાશે
બીઆરટીએસ કોરિડોરમાં આવતી કાલથી ટાટાની માલિકીની 60 ઇલેક્ટ્રિક બસ દોડતી થવાની છે. આની સાથે બીઆરટીએસમાં કુલ 375 બસ થશે.
બીઆરટીએસમાં કુલ18 રૂટ ધમધમશે
આવતી કાલથી ત્રણ નવા રૂટ શરૂ થવાના હોઈ બીઆરટીએસ બસ સર્વિસના કુલ રૂટ 15થી વધીને `18 થશે. નહેરુનગરથી બે અને મણિનગરથી એક રૂટ શરૂ થવાનો છે, જ્યારે વાસણાના રૂટને લંબાવાયો છે