IPL આજે સૌથી વધુ લોકપ્રિય લીગ બની ચુકી છે સાથે જ ઘણીવાર લોકો ફિક્સિંગના દાવાઓ કરતા આવ્યા છે. આ વચ્ચે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ BCCI ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા.
IPL ફાઈનલ ગુજરાત જીત્યા બાદ ભાજપના નેતાએ લગાવ્યો ગંભીર આરોપ
પરિણામમાં ગડબડી થઇ છે આ માટે તપાસ જરૂરી
કેમ સંજુ સેમસને ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો
IPL ફિક્સિંગ અને સટ્ટાબાજીઓનું ઘર
IPL ને લઇને હંમેશાંથી મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજીને લઇને અનેક પ્રકારની વાતો થતી રહે છે. આ વર્ષની IPL 2022ની ફાઇનલમાં આઇપીએલની નવી ટીમ ગુજરાત ટાઇટન્સે સૌથી જૂની ટીમ રાજસ્થાન રોયલ્સને હરાવીને આ ખિતાબ પોતાના નામે કર્યો છે. હવે IPLની ફાઇનલ મેચમાં ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ગોટાળાનો આરોપ લગાવ્યો છે.
There is widespread feeling in intelligence agencies that the Tata IPL Cricket outcomes were rigged. It may require a probe to clear the air for which PIL may be necessary since Govt will not do it as Amit Shah’s son is defacto dictator of BCCI
સુબ્રમણ્યમ સ્વામીએ BCCI ઉપર લગાવ્યા ગંભીર આરોપો
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પર સીધો હલ્લા બોલ કર્યો છે. સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે IPL 2022 ની ફાઇનલમાં ગડબડી કરવામાં આવી હતી. ભાજપના નેતા સુબ્રમણ્યમે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વીટ શેર કર્યું છે, જેમાં એક વીડિયો લિંક છે. આ વીડિયોમાં સ્વામીએ આઈપીએલ પર ઉઠાવેલા સવાલોની વાત કરવામાં આવી રહી છે. સાથે જ ટ્વિટમાં લખ્યું છે- ઈન્ટેલિજન્સ એજન્સીઓનું માનવું છે કે, આઈપીએલના પરિણામમાં ગરબડ થઈ હતી. આ માટે તપાસની જરૂર છે અને તપાસ માટે જાહેર હિતની અરજી દાખલ કરવાની જરૂર છે.
.@Swamy39 takes aim at @AmitShah / Jay Shah, alleges Intelligence Agencies feel many matches were fixed in #IPL2022 & that he would be filing a PIL. Now clamor begins for Hardik Pandya to become the Captain. BTW @narendramodi when will you protect Hindus? https://t.co/LUD0xOv8H3
લોકોએ પણ ઉઠાવ્યા સવાલો
ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ઉઠાવેલા સવાલો બાદ IPLની ગરબડને લઈને ચર્ચાને વધુ વેગ મળ્યો હતો. સ્વામીની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા યુઝર્સ બીસીસીઆઈ અને રાજસ્થાન રોયલ્સને સવાલ પૂછી રહ્યા છે. એક યુઝરે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને ટેગ કરીને લખ્યું કે, સંજુ સેમસને ટોસ જીત્યા બાદ પણ અણધારી બેટિંગ કરવાનો નિર્ણય કેમ લીધો ?
જૂની રાજસ્થાન ટીમને હરાવી ગુજરાત જીત્યું IPL
નોંધનીય છે કે IPL 2022ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. રાજસ્થાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટે 130 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે આ લક્ષ્યાંકને 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો.
ટ્રોફી સાથે મળ્યા 20 કરોડ રૂપિયા
આ ઐતિહાસિક જીત બાદ બીસીસીઆઇએ ગુજરાત ટાઇટન્સ પર ટ્રોફીની સાથે 20 કરોડ રૂપિયાની ઇનામી રકમ આપી છે. આ સાથે જ રનર અપ રાજસ્થાન રોયલ્સને પણ 12.5 કરોડ રૂપિયા મળ્યા હતા. જ્યારે ત્રીજા ક્રમે રહેલા બેંગાલુરુને રુપિયા 7 કરોડનું અને ચોથા ક્રમે આવેલા લખનઉને રુપિયા 6.5 કરોડનું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતુ.