નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગુરૂવારે સંસદમાં 2018-19નો આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યો.
આ આર્થિક સર્વેક્ષણ પરથી બજેટની ધારણા લગાવી શકાય છે. સરકારે હાલમાં વિત્ત વર્ષ માટે 7% GDP ગ્રોથનો અનુમાન લગાવ્યુ છે. આ સર્વેક્ષણમાં ઘણી ખાસ વાત છે, જે મોદી સરકારની સફળતા બતાવે છે. ખાસ કરીને અર્થવ્યવસ્થાના મોર્ચા પર સરકારની રણનીતિ ઘણી હદ સુધી સફળ રહી છે. આર્થિક સર્વેક્ષણની મોટી વાત...
- NPSના મામલામાં સરકારને મોટી સફળતા મળશે. માર્ચ NPA 11.5% હતુ જે ડિસેમ્બર 2018માં ઘટીને 10.1% થઇ ગયુ.
- ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં વધારો થયો છે. 2016-17માં જ્યા ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ 8.3% હતો, જે 2018-19માં વધીને 10% થઇ ગયો.
- રોજગારના મામલામાં પણ સરકારને સફળતા મળી છે. EPFOના અનુસાર, ફોર્મલ સેક્ટરમાં રોજગારી વધી છે. ફેબ્રુઆરી 2018માં 4.87 લાખ લોકોને રોજગારી મળી હતી, જે માર્ચ 2019માં વધીને 8.15 લાખ સુધી પહોંચી ગઇ છે.
- હાલમાં ચાલુ ખાતાની ખાધ કુલ ઘરેલું ઉત્પાદનની 2.1 % છે, જે રાહતના સમાચાર છે.
- રાજકોષીય ખોટ જે 2017-18માં 3.5% હતી, જે ઘટીને વર્ષ 2018-19માં 3.4% રહી.
- સ્વચ્છ ભારત મિશન હેઠળ દેશમાં લગભગ 93.1 ઘરોમાં શૌચાલયની સુવિધા કરી દેવામાં આવી છે.
- મોદી સરકરામાં દરરોજ રોડ બનાવવાની મર્યાદા વધે છે, જ્યાં 2014-15માં 12 કિમી દરરોજ રસ્તાનું નિર્માણ થતુ, જે 2018-19માં વધીને 30 કિમી થઇ ગયુ છે.
- સ્વાસ્થ્ય પર સરકારી ખર્ચ જે 2014-15માં 1.2% હતો, જે 2018-19માં 1.5% કરી દેવામાં આવ્યો છે.
- શિક્ષા પર સરકારી ખર્ચ 2014-15માં 2.8% હતો, જે 2018-19માં વઘીને 3% થઇ ગયો છે.