PM મોદીએ શુક્રવારે ત્રણેય નવા કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. આ કૃષિ કાયદાઓ સામે ખેડૂતોએ લાંબા સમય સુધી વિરોધ કર્યો અને પરિણામે સરકારને તેમને પાછા ખેંચવાની ફરજ પડી.
ટિકૈતના 'આંસુ' આંદોલનની 'ધાર' બની ગયા
યોગેન્દ્ર યાદવે હરિયાણામાં આંદોલન સંભાળ્યું
દિલ્હી બોર્ડર પર બલબીર સિંહ રાજેવાલ મોરચો સંભાળ્યો
રાકેશ ટિકૈતના આંસુઓ આંદોનલનની ધાર બની ગયા
ખેડૂત નેતા અને ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ રાકેશ ટિકૈત કૃષિના કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનનનો સૌથી મોટો ચહેરો સામે બની ઉભરી આવ્યો. લાંબા સમયથી ચાલી રહેલા આંદોલન દરમિયાન એક સમય એવો આવ્યો હતો કે, ટિકૈતની પકડ ઢીલી પડતી દેખાઈ રહી હતી. દિલ્હીના ગાઝીપુર બોર્ડર ટિકૈતના નેતૃત્વમાં આંદોલન કરી રહેલા ખેડૂતો પર જ્યારે વહીવટીતંત્રે કાર્યવાહીની કોશિશ કરી હતી. પરંતુ રાકેશ ટિકૈત પોતાના ઈરાદાઓથી ટસના મસના થયા આ દરમિયાન તેમની આંખોમાં આસું આવ્યા હોવાની તસવીરો અને વીડિયો મીડિયા સમક્ષ આવી અને તેણે કિસાન આંદોલનની એક નવો જુસ્સો આપ્યો કિસાન આંદોલનને દેશ અને મુખ્ય રીતે ઉત્તર પ્રદેશમાં ફેલાવવામાં માટે રાકેશ ટિકૈતે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. અને ઘણાં મંચો થી તેઓ કેન્દ્ર સરકારના આ નિર્ણયને પડકાર્યો હતો
અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનનો પ્રમુખ ચહેરો અને બાદમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા સ્વરાજ પાર્ટીના પ્રમુખ યોગેન્દ્ર યાદવ હરિયાણામાં ખેડૂત આંદોલનના સૌથી મોટો ચહેરો સામે બની આવ્યો છે. હરિયાણામાં નેતાઓના ઘરોના ઘેરાવો હોય કે, પછી ઉપ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાને ખેડૂતો મુદ્દે ઘેરવો કરવો યોગેન્દ્ર યાદવે દરેક રીતે ખેડૂતોના આંદોલન વારં વાર પોતાનો જીવ રેડીને પોતાના તર્કો અને ખેડૂતોની સમસ્યાઓને દેશની સામે લાવવામાં સફળ રહ્યાં
ખેડૂત આંદોલનનો સયુંક્ત મોર્ચાનો ચહેરો બન્યો
કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં વિવિધ જગ્યાએ ચાલી રહેલા ખેડૂત આંદોલનને એક બેનર નીચે લાવવા પંજાબ ખેડૂતનો નેતા ડો. દર્શન પાલની એક અગ્ત્યની ભૂમિકા ભજવી છે. દિલ્હીમાં સિંધુ બોર્ડર પર ખેડૂતો આગેવાની તથા કિસાન સંયુક્ત મોર્ચા બનાવવામાં તેમની અગત્યની ભૂમિકા ભજવી હતી. પોતના સાર્વજનિક જીવનમાં 36 વર્ષના ઉત્તાર ચઢાવ દેખવા વાળા દર્શન પાલ જય પ્રકાશ નારાયણે સરકારના ત્રણ કૃષિ કાયદા પરત લીધા બાદ પણ કહ્યું કે, હજુ એમએસપી અને બાકી મુદ્દાઓ લઈને કિસાન આંદોલન ચાલુ રહેશે
ખેડૂતો આંદોલનમાં રાજકારણમાં જોડાતા વધુ વેગવનતું બન્યું
હરિયાણાના ખેડૂત નેતા ગુરનામ સિંહએ પણ કૃષિ કાયદાનો વિરોધી આંદોલનમાં મહત્વનું નામ છે. કિસાન સંયુક્ત મોરચાના સદસ્ય ગુરનામ સિંહ ઘણી વાર ખેડૂતોને રાજનીતિમાં આવવાની વાત કરી હતી. તેમનું માનવું છે કે, ખેડૂતોના હકની વાત સંસદમાં રાખવા માટે તેમની વચ્ચે કોઈ નેતા હોવો જોઈએ હાલમાં જ તેમણે પંજાબથી ચૂંટણી લડવાનું સંકેત આપ્યું હતું. ખેડૂતોને દિલ્હી માર્ચમા તેમની પણ અગત્યની ભૂમિકા રહી છે. જો કે, તેમણે ઘણી વખત ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો વિરોધ કરતાં પણ જોડાયા હતાં.
દિલ્હી બોર્ડર પર બલબીર સિંહ રાજેવાલ મોરચો સંભાળ્યો
ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ બલવીર સિંહ રાજેવાલ કિસાન આંદોલનનો વધુ એક મોટો ચહેરો બની સામે આવ્યો પંજાબના ખેડૂતો આંદોલનને દિલ્હી લાવવા અને દિલ્હીના હરિયાણા બોર્ડર પર કિસાન આંદોલન મજબૂતીથી ઉભૂ રાખવામાં રાજેવાલની અગત્યની ભૂમિકા રહી છે.