ગુજરાતમાં દરેક શહેરમાં રોડ બનાવવામાં જે તે કોર્પોરેશન દ્વારા રોડ બનાવવામાં જાણી જોઈને વેઠ ઉતારવામાં આવે છે. જેનાં કારણે દરેક શહેરોમાં રોડ પર ભૂવા પડવાની સમસ્યાથી લોકો કંટાળી ગયાં છે. ત્યારે અમદાવાદનાં જશોદાનગરનાં રહીશોએ તંત્ર સામે ભૂવાને લઈને આ રીતે નારાજગી વ્યક્ત કરી છે.
અમદાવાદમાં તંત્રની લાલિયાવાડીની પોલ ખુલી
જશોદાનગરના રહિશોએ તંત્ર સામે વ્યક્ત કરી નારાજગી
અનેક વખત રજૂઆત છતાં ભૂવાને લઇને કોઇ કામગીરી નહીં
જશોદાનગરના રહિશોએ તંત્ર સામે વ્યક્ત નારાજગી
અમદાવાદનાં જશોદાનગરનાં રહીશો વારંવાર પડતા ભૂવા અને વર્ષોથી આ સમસ્યા સામે કોઈ પગલા નહી ભરનારા અમદાવાદ મ્યૂનિ. કોર્પોરેશનની બેદરકારથી કંટાળી ગયાં છે. જેને પગલે જશોદાનગરનાં રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ ભૂવા પુરવા માટે કોર્પોરેશનને અનેક રજૂઆતો કરી છે, છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી.
અમદાવાદમાં તંત્રની લાલિયાવાડીની પોલ ખુલી
એક સ્થાનિક યુવકે આ અંગે વાત કરતાં જણાવ્યુ હતું કે, અહીં વારંવાર ભૂવો પડે છે. ચોમાસામાં રજૂઆત કરીએ ત્યારે તેઓ અત્યારે વરસાદ ચાલે છે એટલે કામગીરી નહીં થાય તેવું કારણ ધરી દે છે, પણ અત્યારે તો વરસાદ પણ નથી આવી રહ્યો . અમે ફરિયાદ કરી ને અને ભૂવાથી ત્રાસી ગયા છીએ. આ ભૂવો એ ભ્રષ્ટાચાર છે આમાં કાઉન્સેલર અને ધારાસભ્યોની મીલી ભગત છે.
અનેક વખત રજૂઆત છતાં ભૂવાને લઇને કોઇ કામગીરી નહીં
બીજા એક રહીશે જણાવ્યું હતું કે હું અહીં બાજુની સોસાયટીમાં રહું છું. આ ફક્ત ભૂવો નથી પડ્યો ભૂવો પડ્યો છે અને તેની અંદરથી પસાર થઈ રહેલી ડ્રેનેજ લાઈન પણ તુટી છે. એટલે આ ગટરનું પાણી પણ આ ભૂવામાં ભરાઈ રહ્યું હોઈ તેની જમીન પોલી થઈ રહી છે. અમે દુર્ગંધનાં કારણે કંટાળી રહ્યાં છીએ. આ ભૂવો દિવાળી પહેલા પડ્યો હોવા છતાં કોર્પોરેશનને અનેક રજૂઆત છતાં પગલા નથી લેવાયાં.