ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી જવાને કારણે મકાનોમાં તિરાડો પડવાની ઘટનાઓ નોંધાઈ હતી. હવે ધરતી ફાટ્યા બાદ જગ્યાએ જગ્યાએથી પાણી નીકળવા લાગ્યું છે.
ઉત્તરાખંડના જોશીમઠમાં ઘરોમાં તિરાડો પડી
વર્ષોથી જમીન ધસી જવાના પણ અનેક કિસ્સા
જમીનમાં ઘણી જગ્યાએથી પાણી પણ નીકળવા લાગ્યું
ગયા વર્ષે નવેમ્બરમાં ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી જવાને કારણે મકાનોમાં તિરાડો પડવાની ઘટનાઓ નોંધાઈ હતી. હવે ધરતી ફાટ્યા બાદ જગ્યાએ જગ્યાએથી પાણી નીકળવા લાગ્યું છે. મારવાડીમાં આવી ઘટનાઓ જોવા મળી છે. અહીં જમીન ધસી જવાને કારણે જેપી કંપનીના મકાનોમાં મોટી તિરાડો પડી ગઈ છે, જેના કારણે આ આખી વસાહત ખાલી કરાવવામાં આવી છે. રસ્તો તૂટી ગયો છે. અહીં જમીનમાં જગ્યાએ જગ્યાએથી પાણી પણ નીકળવા લાગ્યું છે.
મકાનોમાં તિરાડો
અહીં રહેતા લોકોનું કહેવું છે કે સોમવારે રાત્રે અચાનક આ કોલોનીમાં બનેલા મકાનોમાં તિરાડો પડી ગઈ હતી અને ગઈકાલે બપોરે અહીંથી પાણી નીકળવા લાગ્યું હતું. પાણીને જોતા એવું લાગે છે કે ક્યાંક ભારે વરસાદ પડ્યો છે. આ ઘટનાથી સમગ્ર જોશીમઠ ચિંતામાં છે.
There are 584 houses in the town area, which have developed huge cracks affecting more than 3,000 people. Huge cracks have appeared in the houses due to leakage of water from inside the ground in Marwadi ward: Joshimath Municipal President Shailendra Pawar pic.twitter.com/xCyJEDNB8A
ઘણા સમયથી ભૂસ્ખલનની ઘટનાઓ
મળતી માહિતી મુજબ, જોશીમઠના મારવાડીમાં છેલ્લા ઘણા મહિનાઓથી ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી હતી, ત્યારબાદ અચાનક બદ્રીનાથ નેશનલ હાઈવે-58ને અડીને આવેલી જયપ્રકાશ પાવર પ્રોજેક્ટની કોલોનીની અંદરની દિવાલો અને જમીનની અંદરથી પાણી નીકળવા લાગ્યું. મામલાની માહિતી મળતાં વહીવટીતંત્રની ટીમ પહોંચી અને મામલાને ધ્યાને લીધો. વહીવટીતંત્રે 16 પરિવારોને મ્યુનિસિપલ પ્રાથમિક શાળા અને અન્ય સ્થળોએ શિફ્ટ કર્યા છે. ત્યાં રહેતા લોકોનું કહેવું છે કે જોશીમઠમાં પહેલાથી જ તિરાડો દેખાતી હતી, પરંતુ સોમવારે રાત્રે જેપી કંપનીમાં આવેલી તિરાડને જોઈને એવું લાગે છે કે અહીં જ્વાળામુખી ફાટ્યો છે.
જિલ્લા વહીવટી તંત્રની ટીમે સ્થળ પર તપાસ કરી હતી
પૂર્વ બદ્રીનાથ ધર્માધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલ કહે છે કે જોશીમઠના અન્ય વિસ્તારોમાં પણ તિરાડનો વ્યાપ વધ્યો છે, તેથી લોકો ખૂબ જ ડરી ગયા છે. બધા તેને એક મોટો ખતરો માની રહ્યા છે અને જોશીમઠને બચાવવા સરકારને વિનંતી કરી રહ્યા છે. જોશીમઠના તહસીલદાર રવિ શાહનું કહેવું છે કે ઘટનાની જાણકારી મળ્યા બાદ ટીમ મારવાડી સ્થિત જેપી કંપનીની કોલોનીમાં ગઈ હતી. ત્યાં અહી જમીનમાંથી પાણી નીકળી રહ્યું છે. ત્યાં જે પાણી આવી રહ્યું છે તે કોઈની ગટરલાઈનનું પાણી લીકેજ નથી. આ તે પાણી છે જે જમીનની અંદરથી બહાર આવે છે.
Uttarakhand | Continuing land subsidence in Joshimath town of Chamoli district is causing major cracks in many houses, people are vacating their houses and are in search of safe places. pic.twitter.com/zs8fidOtrQ
જોશીમઠમાં આપત્તિ આવી શકે છેઃ સામાજિક કાર્યકર
ઉત્તરાખંડના સામાજિક કાર્યકર અનૂપ નૌટિયાલે આ મામલે ઘણી વખત ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે જોશીમઠમાં જે પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે તેના પર જો ટૂંક સમયમાં ધ્યાન નહીં લેવામાં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે છે. જોશીમઠમાં છેલ્લા કેટલાક દિવસોમાં નુકસાન ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. આ અંગે સત્વરે પગલાં ભરવાની જરૂર છે. ત્યાંના સ્થાનિક લોકો પણ સતત પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. આ વિસ્તાર સમુદ્ર સપાટીથી લગભગ છ હજાર ફૂટની ઉંચાઈ પર સ્થિત છે અને સિસ્મિક ઝોન 5માં આવે છે. એટલે કે કુદરતી આફતોના સંદર્ભમાં તે ખૂબ જ સંવેદનશીલ છે. છેલ્લા કેટલાક દિવસોમાં અહીં ભૂસ્ખલનનું પ્રમાણ ઘણું વધી ગયું છે.
રીપોર્ટમાં આ દર્શાવ્યું
ઉત્તરાખંડ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે ઘરોમાં આવતી તિરાડો શહેરના નબળા પાયાના કારણે છે. આ સિવાય તેણે પોતાના રિપોર્ટમાં તમામ કારણો દર્શાવ્યા હતા. જેમાં બાંધકામ, શહેરની ક્ષમતા અને નદીના કારણે થતા ધોવાણનો સમાવેશ થાય છે.