મોદી સરકારે આજની કેબિનેટની બેઠકમાં ત્રણ મોટા નિર્ણય લીધા છે.
મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 3 મોટા નિર્ણય
ગરીબો માટે મફત અનાજની યોજના 3 મહિના લંબાવાઈ
કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કર્યો 4 ટકાનો વધારો
અમદાવાદ, દિલ્હી અને મુંબઈ સહિત 199 રેલવે સ્ટેશનોની કાયાપલટ
પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગરીબો, કર્મચારીઓ અને મુસાફરોના લાભ માટે ત્રણ નિર્ણય લેવાયા છે.
Cabinet approves extension of Pradhan Mantri Garib Kalyan Ann Yojana (PMGKAY) for another three months (October 2022-December 2022)#CabinetDecisionspic.twitter.com/fayVmMwUrN
ગરીબોને શું મળ્યું
મોદી કેબિનેટ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 3 મહિના લંબાવવાનો નિર્ણય લીધો છે. પીએમ ગરીબ કલ્યાણ યોજનાની મુદત 30 સપ્ટેમ્બરે પુરી થતી હતી પરંતુ તેના બે દિવસ પહેલા કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તેને વધુ 3 મહિના લંબાવી દીધી છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા મફત અનાજ યોજનાને વધુ 3 મહિના લંબાવવામાં આવતા 80 કરોડ ગરીબોને ડિસેમ્બર 2022 સુધી મફત અનાજ મળતું રહેશે.
Delhi | Union cabinet has also decided to increase Dearness Allowance (DA) by 4 per cent for central government employees and pensioners: Union minister Anurag Thakur pic.twitter.com/a3fY12AEgC
કર્મચારીઓને શું મળ્યું
મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને 4 ટકા ડીએ વધારાની ભેટ આપી છે. 4 ટકાના વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 34 ટકાથી વધીને 38 ટકા થઈ જશે.
केंद्र सरकार ने नई दिल्ली, छत्रपति शिवाजी और अहमदाबाद रेलवे स्टेशन के पुनर्विकास के लिए 10,000 करोड़ रुपए अनुमोदन राशि स्वीकृति दी है। अभी कुल 199 रेलवे स्टेशन के पुनर्निमार्ण का कार्य भी चल रहा है: केंद्रीय मंत्री अश्विनी वैष्णव, दिल्ली pic.twitter.com/9MOAFawvMZ
મુસાફરો માટે
મોદી સરકારે ત્રણ મોટા રેલવે સ્ટેશનો સહિત દેશના 199 રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવાનો નિર્ણય લીધો છે. ત્રણ મોટા રેલવે સ્ટેશનોમાં અમદાવાદ, નવી દિલ્હી અને મુંબઈ રેલેવ સ્ટેશન સામેલ છે. આ ત્રણ મોટા સ્ટેશનોમાં વર્લ્ડ ક્લાસની સુવિધા શરુ કરવામાં આવશે.