ચોમાસાની ઋતુને પગલે ઊભી થનારી સ્થિતિને પહોંચી વળવા અમરેલીમાં આર્મીનો બેઝ કેમ્પ બનાવવા અંગે નિર્ણય કરાયો છે.
અમરેલીમાં આર્મી લશ્કરની કંપનીનો પડાવ
મોનસૂનમાં ઊભી થનારી સ્થિતિને પહોંચી વળવા નિર્ણય
સૌરાષ્ટ્રના મધ્યમાં અમરેલી જિલ્લો હોવાથી પસંદગી
હાલ વરસાદી વાતાવરણ વચ્ચે ગુજરતના અનેક સ્થળોએ મેઘાએ તાંડવ મચાવતા જન જીવન પ્રભાવિત થયું છે વધુમાં વધુમાં પૂરના પાણીને લોકોના ઘરમાં ઘૂસતા ઘર વખરીને પણ મોટા પાયે નુકસાન થયુ છે. અમુક કિસ્સાઓમાં લોકોના મોત પણ થયા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં મોનસૂનમાં ઊભી થનારી સ્થિતિને પહોંચી વળવા આગોતરા આયોજનના ભાગરૂપે અમરેલીમાં આર્મીનો બેઝ કેમ્પ બનાવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યાં હંગામી ધોરણે આર્મીનો બેઝ કેમ્પ બનશે.
અમરેલીમાં હંગામી ધોરણે આર્મીનો બેઝ કેમ્પ બનશે
હંગામી ધોરણે આર્મીનો બેઝ કેમ્પના નિર્ણય બાદ અમરેલીમાં આર્મી લશ્કરની કંપનીના જવાનોનું આગમન પણ થઈ ચૂક્યું છે. અમરેલીમાં જવાનોએ પડાવ નાખ્યા છે. નોંધનિય છે કે અમરેલી જિલ્લો સૌરાષ્ટ્રની મધ્યમાં આવેલો હોવાથી આજુબાજુના કોઇ પણ સ્થિતિમાં ચોમાંસામાં પૂર સહિતની સ્થિતિ વણશે તો પહોંચવામાં અનુકૂળતા રહે છે. આથી કેમ્પ માટે અમરેલી જિલ્લાની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
140 જેટલા આર્મી જવાનો મોનસૂન દરમિયાન બેઝ કેમ્પમાં રહેશે
મહત્વનું છે કે, અમરેલીથી 100 કિમીના અંતરે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ સહિતના જિલ્લાઓ આવેલા છે. અમરેલીમાં હંગામી ધોરણે ઊભા કરવામાં આવેલા આર્મીના બેઝ કેમ્પમાં 140 જેટલા આર્મી જવાનો મોનસૂન દરમિયાન રહેશે.જે પૂર પ્રકોપની પરિસ્થિતિમાં રેસ્કયુ ઓપરેશન સાથે રાહત બચાવ કામગીરીમાં મદદરૂપ થશે. ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્રમાં 717 મીમીની સરેરાશ સામે અત્યાર સુધીમાં 395.01 મીમી વરસાદ થયો છે. સૌથી વધુ 1476 મીમી સરેરાશ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડતો હોય છે તેની સામે અત્યાર સુધીમાં 1023.39 મીમી વરસાદ થયો છે. સમગ્ર ગુજરાતમાં સીઝનમાં 850 મીમી વરસાદની સરેરાશ છે તેની સરખામણીએ 460.65 મીમી પાણી વરસી ગયું હોવાનું સામે આવ્યું છે.