ભાજપનાં યુવા મોરચામાં હોદા માટે 35 વર્ષની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે જેના આધારે હવે 35 વર્ષથી વધુ ઉંમર ધરાવતા હોદ્દેદારોને હવે યુવા મોરચામાં સ્થન નહીં મળી શકે તે હવે નક્કી
યુવા ભાજપમાં ફેરફારની હિલચાલ
યુવા ભાજપ મોરચામાં થઈ શકે મોટા ફેરફાર
ભાજપ યુવા હોદ્દેદારો માટે નવી ફોર્મ્યુલા નક્કી કરાઈ
ગુજરાત ભાજપમાં વધુ એક આફટર શોકનો સામેનો કરવો પડી શકે કેમ કે હવે જૂના જોગીઓનું સ્થાનિ હવે નવા ચહેરાઓ લે તેવું મનાઈ રહ્યું છે ભાજપના યુવા મોરચામાં ધરખમ ફેરફાર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
યુવા ભાજપમાં ફેરફારની હિલચાલ
મળતા અહેલો પ્રમાણે પક્ષ પ્રમુખ સી.આર.પાટીલ પક્ષની આખી કેડરને બદલવા માંગતા હોય તેવા સંકેત મળી રહ્યા છે કેમ કે 35 વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાને યુવા મોરચામાં સ્થાન નહીં આપવાનો નિર્ણય કરાય છે હવેથી ભાજપનાં યુવા મોરચામાં હોદા માટે 35 વર્ષની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે જેના આધારે હવે 35 વર્ષથી વધુ ઉંમર ધરાવતા હોદ્દેદારોને હવે યુવા મોરચામાં સ્થન નહીં મળી શકે તેવું નક્કી કરાયું છે.
યુવા ભાજપ મોરચામાં થઈ શકે મોટા ફેરફાર
રાજ્યમાં 35 વર્ષની ઉંમર મર્યાદાની ફોર્મ્યુલાને જોતા 35 વર્ષથી વધુ ઉંમરના હોદ્દેદારોને દૂર કરાયા છે નવસારી ભાજપનાં યુવા મોરચાના પ્રમુખને હટવી દેવામાં આવ્યા છે તો શૈલેષ ભટ્ટ 35 વર્ષથી વધુ ઉંમરના હોવાને કારણે તેમને પણ દૂર કરવામાં આવ્યા છે આ તરફ રાજકોટ શહેર ભાજપનાં પ્રમુખ અને મહામંત્રીને પણ 35 વર્ષની ફોર્મ્યુલા હેઠળ દૂર કરવામાં આવ્યા છે.
ભાજપ યુવા હોદ્દેદારો માટે નવી ફોર્મ્યુલા નક્કી કરાઈ
એક અહેવાલ પ્રણાણે સૌરાષ્ટ્રમાં રાજકોટ તથા જામનગર સહિતના મહાનગરોમાં યુવા ભાજપના પદાધિકારીઓને હજુ બે કે ત્રણ દિવસથી આ હિલચાલની ખબર પડી હતી પરંતુ નવસારીમાં શહેર પ્રમુખનું રાજીનામું લગભગ 20 દિવસ પહેલા જ આવી ગયુ હતું અને ત્યારબાદ એક બાદ એક જિલ્લામાં અને મહાનગરોમાં આ પ્રમાણે રાજીનામા મંગાયા હતા પરતું પક્ષના અનેક અગ્રણીઓના દબાણ કરતા 35થી વધુ ઉંમરના છે તેમને હાલ જન્મ તારીખ ‘એડજેસ્ટ’ કરીને હોદા પર જ યથાવત રખાયા છે. જેમાં સૌરાષ્ટ્રમાં પણ બે કે ત્રણ જિલ્લાના હોદ્દેદારોનો સમાવેશ થાય છે.
અગાઉ ત્રણ ટર્મ જીતેલા અને 60 વર્ષથી ઉપરના થઈ ચૂકી છે બાદબાકી
મહત્વનું છે કે અગાઉ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રણ ટર્મ જીતેલા અને 60 વર્ષથી ઉપરના તમામની બાદબાકી છેલ્લી ઘડીએ તેમની બાદબાકી કરવામાં આવી હતી અને તેના કારણે અનેક મહાનગરોમાં નવી કેડર મહત્વ વગરની થઇ ગઇ છે. ધારાસભામાં મર્યાદીત સંખ્યા હોવાથી કાર્યકર્તાઓને સંગઠન અને સરકારમાં સ્થાન મળે તેવી ઇચ્છા હોય છે પણ તેમાં પણ આ રીતે સરકારી નોકરી જેવો નિયમ દાખલ કરી દેવાતા પૂરી એક કેડરને મોટી અસર પડશે તેવા સંકેત વર્તાઈ રહ્યા છે. યુવા ભાજપમાં ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવતા હવે આગામી દિવસમાં વધુ રાજીનામાં પડે તેવી શકયતા પણ નકારાતી નથી.