કોરોના વાયરસને લઈને ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. ત્યારબાદ વૈજ્ઞાનિકોનો ઉત્સાહ પણ વધ્યો છે. સરકારે કોવિડ-19ની દવા અને વેક્સીન વગેરેના રિસર્ચે માટે વૈજ્ઞાનિકોનો રસ્તો સરળ બનાવ્યો છે. મળતી માહિતી અનુસાર ભારત સરકારે સંક્રમિત દર્દીઓના લોહી, નાક અને ગળાના સેમ્પલ પર રિસર્ચ કરવાની મંજૂરી આપી છે. પીએમ મોદીએ પણ નિર્દેશો માટેના આદેશ પણ જાહેર કર્યા છે.
કોરોનાને લઈને ભારતે લીધો મોટો નિર્ણય
PM મોદીએ આપ્યા આદેશ
કોવિડ-19ની દવા અને વેક્સીનનો માર્ગ બન્યો સરળ
હવે જો કોઈ વૈજ્ઞાનિક ઇચ્છે તો તે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીના નમૂના પર સંશોધન શરૂ કરી શકે છે. આ માટે પૂણેની એનઆઈવી લેબમાં થોડી ફોર્માલિટી પૂરી કરવી પડશે, ત્યારબાદ તેમને નમૂનાઓ મળશે. એનઆઈવી પુણેએ પણ ચેપગ્રસ્ત દર્દીઓના નમૂનાઓ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. જો કોઈ ખાનગી લેબ ની તપાસમાં કેસ સંક્રમિત મળ્યો હોય તો પુનાની લેબમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અહીં ચેપ લાગ્યાની ખાતરી પછી જ તેને કોવિડ -19 કહેવામાં આવી રહ્યું છે. તેમજ તેનો સેમ્પલ પણ લેબમાં સુરક્ષિત રાખવામાં આવી રહ્યો છે.
આવી છે હાલની દર્દીઓની સંખ્યાની સ્થિતિ
સોમવારે સવાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1090 થઈ ગઈ છે. તેમાંથી 29 લોકોનાં મોત પણ થયાં છે. છેલ્લા બે દિવસમાં 9 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે પહેલા બે દિવસમાં 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં. દેશમાં અત્યાર સુધીમાં 35 હજાર નમૂનાઓની તપાસ કરવામાં આવી છે. દિલ્હી સહિત દેશભરમાં 113 સરકારી અને 45 ખાનગી લેબમાં તપાસ ચાલી રહી છે.
નિર્ણય બાદ દેશના યુવા વૈજ્ઞાનિકોની હિંમત વધી
અન્ય તરફ દિલ્હી એઇમ્સે અહીં કોરોના વાયરસ પર સંશોધન માટે નમૂનાઓ પણ રાખ્યા છે. એઈમ્સના પલ્મોનરી ડિપાર્ટમેન્ટના સિનિયર ડોક્ટર કહે છે કે હાલના તબક્કે આખું મેડિકલ ક્ષેત્ર સરકારના આ પ્રયત્નોની જરૂર ધરાવે છે. વાયરસની એન્ટિ ડોઝ તૈયાર કરવા માટે ચેપગ્રસ્ત દર્દીઓના નમૂના લેવાનું ખૂબ મહત્વનું છે. તો જ સંશોધન આગળ ધપાવી શકાય. તેમણે એમ પણ કહ્યું કે આ નિર્ણય બાદ દેશના યુવા વૈજ્ઞાનિકોની હિંમત નોંધપાત્ર રીતે વધી છે. ઝડપથી જ દિલ્હી એમ્સની 3થી 4 ટીમ આ કામનું સંશોધન શરૂ કરશે.
એન્ટી બોડીઝની મદદથી વાયરસનો તોડ મળશે
મળતી માહિતી અનુસાર જે દર્દીઓમાં કોરોના સંક્રમણ મળ્યું છે તે સાજા થઈને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. તેમના બ્લડ સેમ્પલ લઈને રિસર્ચ કરાશે અને સાથે એન્ટી બોડીઝની મદદથી વાયરસનો તોડ મળશે. સેમ્પલ કયા બેઝ પર મોકલવામાં આવશે તે પણ તેમને જણાવવામાં આવ્યું છે.
દેશના પહેલા 3 દર્દીઓમાં મળ્યું કોરોનાનું સ્વરૂપ
પુનાના એનઆઈવી નિર્દેશક પ્રિયા અબ્રાહમે કહ્યું કે તેમની ટીમે હાલમાં જ રિસર્ચ પૂરો કર્યો છે. તેને ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશઇત કર્યો છે. દેશના પહેલાં 3 કોરોના સંક્રમિત દર્દીના સંમ્પલ પર અધ્યયન બાદ નોવેલ કોરોના વાયરસના સ્વરૂપ ખ્યાલ આવ્યું છે. તેમાંના 2 સેમ્પલની ઓળખ વુહાનમાં મળેલા સંક્રમણ સાથે થઈ છે. તેની સાથે સરખામણીમાં 99.98 ટકા છે. જ્યારે એક દર્દીમાં સંક્રમણની સમાનતા 55 ટકા મળી છે.