ઉલ્લેખનીય છે કે, આ બેઠકના નિર્ણય અને કાશ્મીરની સ્થિતિ અંગે સરકાર સંસદમાં પણ નિવેદન આપી શકે છે. વધારે જવાનોની તૈનાતી અને પ્રવાસી તેમજ શ્રદ્ઘાળુઓને કાશ્મીર છોડવાના આદેશ પછી વિરોધ પક્ષ સરકાર પાસેથી આ મામલા અંગેની સ્પષ્ટતા માંગી શકે છે. આ બઘા વચ્ચે રવિવાર-સોમવારની અડધી રાત્રે અબ્દુલ્લા અને મહેબૂબા મૂફ્તિ સહિત મોટાભાગના નજરબંધ કરી દેવામાં આવ્યા છે. મહત્વનુ છે અડધી રાતે અચાનક રાજ્યપાલ સત્યપાલ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી.
રવિવારથી દિલ્હીને લઇને જમ્મૂ-કાશ્મીર હલચલ વધી રહી છે. ગૃહ મંત્રી અમિત શાહએ ઉચ્ચસ્તરીય બેઠક કરી, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, કેન્દ્રીય ગૃહમંત્રી સચિવની સાથે ગુપ્ત એજન્સીને પ્રમુખ શામેલ હતા. આ તમામ સ્થિતિની જાણકારી પીએમને આપવામાં આવી છે. અજિત ડોભાલ જ્યારથી કાશ્મીર પર મોટા નિર્ણય લઇને સવાલ કરવામાં આવ્યો તો તે હસતા નીકળી ગયા હતા.
સૂત્રોનુસાર, સરકાસ સાંસદને સત્ર 2 દિવસ વધારી શકે, જેનાથી વર્તમાન સ્થિતિને લઇને ચર્ચા થઇ શકે છે.અમિત શાહ આગામી અઠવાડિયે કાશ્મીર પ્રવાસ પર જવાની તૈયારીમાં છે. શ્રીનગરમાં કાશ્મીર દળોને સંયુક્ત બેઠક જાહેર કર્યુ હતું. જો રાજ્યના વિશેષ દરજ્જા સાથે કોઇ છેડછાડ કરવામાં આવશે તો વિરોધ કરવામા આવશે
રાજ્યમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા:
Jammu & Kashmir: Security tightened in Jammu in view of the imposition of section 144 from 6 am, today. pic.twitter.com/g5XndHNWK9
કાશ્મીરમાં ઘણા પ્રમાણમાં સૈનાને તૈનાત કરવામાં આવી છે અને અલગાવાદીઓના ગઢને છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યો છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 144ની કલમ લાગૂ કરી દેવામાં આવી છે. તમામ શાળા-કોલેજો અને શિક્ષણ સંસ્થાનોને બંઘ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કાશ્મીર સિવાય જમ્મૂ, કઠુઆ, ઉઘમપુર, રિયાસી, કિશ્તવાડ, રામબન, રાજૌરી, પૂંછમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.