NSE એ ગુરુવારે અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ અને અંબુજા સિમેન્ટને એડિશનલ સર્વેલન્સ માર્જિન ફ્રેમવર્ક (ASM)માં મૂકવાનો નિર્ણય કર્યો છે.
NSEએ ગુરુવારે અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓને ASM માં મૂકવાનો નિર્ણય કર્યો
એડિશનલ સર્વેલન્સ માર્જિન ફ્રેમવર્ક ASM શું છે ?
NSEએ આ વિશે શું કહ્યું
અદાણી ગ્રુપ સાથે જોડાયેલા વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ ગુરુવારે અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓને એડિશનલ સર્વેલન્સ માર્જિન ફ્રેમવર્ક (ASM)માં મૂકવાનો નિર્ણય કર્યો છે. અદાણી ગ્રુપની આ 3 કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ અને અંબુજા સિમેન્ટનો સમાવેશ થાય છે. અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓને એડિશનલ સર્વેલન્સ માર્જિન ફ્રેમવર્ક (ASM)માં મૂકવા પાછળનું કારણ શું છે ચાલો જાણીએ.
એડિશનલ સર્વેલન્સ માર્જિન ફ્રેમવર્ક ASM શું છે ?
ASM માં મૂકવાનો અર્થ એ છે કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે પણ 100% અપફ્રન્ટ માર્જિન જરૂરી રહેશે એટલે કે તેનાથી આનાથી શોર્ટ સેલિંગ પર થોડો અંકુશ આવશે અને આ પગલા પાછળનું સૌથી મોટું કારણ અદાણી ગ્રુપના શેરમાં આવતા ઉતાર-ચઢાવને ઓછું કરી શકાય અને હવે નેશનલ સ્ટોક એક્સચેન્જ પણ આ શેરો પર તેની દેખરેખ વધારશે. જણાવી દઈએ કે આ નવો નિયમ આજથી લાગુ થઈ ગયો છે.
NSEએ આ વિશે શું કહ્યું
ASM ફ્રેમવર્કને લઈને NSE એ તેની સત્તાવાર વેબસાઇટ પર માહિતી આપતા જણાવ્યું હતું કે કિંમત, વોલ્યુમની વેરીશન, સ્ટોકની વધઘટને મોનિટર કરવા માટે એડિશનલ સર્વેલન્સ માર્જિન (ASM) દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જે એમ પણ કહ્યું હતું કે ASM હેઠળ સિક્યોરિટીઝનું શોર્ટલિસ્ટિંગ મોનિટરિંગ માટે છે અને તેને સંબંધિત એન્ટિટી સામેની કાર્યવાહી તરીકે ગણવામાં આવવી જોઈએ નહીં.
અદાણી ગ્રુપને થયું હતું નુકસાન
આપણે બધા જાણીએ છીએ કે હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ પછી છેલ્લા કેટલાક દિવસોમાં અદાણી જૂથના શેરમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો અને આ પછી સ્ટોક એક્સચેન્જે આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે આના કારણે અદાણી જૂથને $100 બિલિયનથી વધુનું નુકસાન થયું છે.