પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આજે ઘણા મોટા નિર્ણય લેવાયા છે.
આજે યોજાઈ કેન્દ્રીય કેબિનેટની બેઠક
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટના નિર્ણયની જાણકારી આપી
સરકારે ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાને મંજૂરી આપી
ભારત અને નેપાળને જોડનાર મહાકાલી નદી પર પુલ બનશે
કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે સરકારે ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાને મંજૂરી આપી છે. આ યોજના પર સરકાર 12 હજાર કરોડનો ખર્ચ કરશે તેમાં 33 ટકા રકમ કેન્દ્ર સરકાર આપશે. તેની સાથે ભારત અને નેપાળની વચ્ચે મહાકાલી નદી પર ધારચૂલામાં પુલ બનાવવાનો પણ નિર્ણય લેવાયો છે આ માટે ટૂંક સમયમાં નેપાળ સાથે MOU સાઈન કરવામાં આવશે, આ યોજનાને કારણે ઉત્તરાખંડના લોકોની સાથે નેપાળમાં રહેતા લોકોને પણ મોટો ફાયદો થશે.
ગુજરાત સહિતના રાજ્યોમાં 10750 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઈનનું નિર્માણ થશે
કેન્દ્રીય મંત્રી ઠાકુરે કહ્યું કે ફેઝ-2માં ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, યુપી, તમિલનાડુ અને રાજસ્થાનમાં 10750 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઈનનું નિર્માણ થશે. ફેઝ-1નું લગભગ 80 ટકા કામકાજ પૂરુ થઈ ચૂક્યુ છે.
Union Cabinet has approved Intra-State Transmission System-Green Energy Corridor Phase-II. This scheme will add approximately 10,750 circuit kilometres of transmission lines and approx. 27,500 Mega Volt-Amperes transformation capacity of substations: Union Minister Anurag Thakur pic.twitter.com/FmNuoEhD6V
મહાકાલી નદી પર બનશે
કેન્દ્ર સરકારે ભારત અને નેપાળને જોડનાર મહાકાલી નદી પર પુલ બનાવવાની પણ મંજૂરી આપી છે. તેને માટે ટૂંક સમયમાં MOU સાઈન કરવામાં આવશે. ગ્રીન એનર્જીના બીજા તબક્કાને મંજૂરી
દેશના કુલ વીજળી ઉત્પાદનમાં 70 ટકા યોગદાન કોલસાનું છે. પરંતુ હાલમાં દેશમાં કોલસાનો ભંડાર મર્યાદિત છે. તેથી સરકાર દેશમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માગે છે. હવે સરકારે તેના બીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે.
શું છે ગ્રીન એનર્જી પરિયોજનાનો ઉદ્દેશ
ગ્રીન એનર્જી પરિયોજનાનો ઉદ્દેશ સોલર અને પવન ઊર્જા જેવા કુદરતી સંસાધનોમાંથી મળતી વીજળીને ગ્રીડ દ્વારા દેશના પરંપરાગત વીજળી સ્ટેશનોની મદદથી લોકોના ઘર સુધી પહોંચતી કરવાનો છે. મંત્રાલયે 2015-16માં ગ્રીન એનર્જીમાંથી ઉત્પાદિત પાવરનો ઉપયોગ કરવા માટે ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. તેમાં 8 રાજ્યો તમિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. સરકાર હવે તેનો કાર્યક્ષેત્ર વિસ્તારીને કોલસામાંથી ઉત્પન્ન થતી વીજળીનો હિસ્સો ઘટાડવા માંગે છે, જેથી પર્યાવરણને મહત્તમ લાભ મળે.