ICC ODI વર્લ્ડ કપને લઈને ચાલી રહેલા વિવાદનો હવે અંત આવતો જણાય છે. ICCના અધ્યક્ષ પોતે પાકિસ્તાન પહોંચીને કહ્યું કે એમની પાસે ટુર્નામેન્ટમાં ભાગ લેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICC ટૂર્નામેન્ટને લઈને કોઈ નિવેદન આપ્યું નથી
ભારતમાં યોજાનારા વર્લ્ડ કપ પહેલા ICC એ મોટો નિર્ણય લીધો
હવે પાકિસ્તાને ભારતમાં આવીને વર્લ્ડ કપમાં ભાગ લેવો પડશે
પાકિસ્તાન ક્રિકેટ ટીમ ભારતમાં યોજાનારા ICC ODI વર્લ્ડ કપમાં રમવા આવશે કે કેમ તે અંગે સતત સવાલો ઉઠી રહ્યા છે. ભારતીય ટીમે એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં જવાનો નિર્ણય કર્યો અને વિવાદ શરૂ થયો. બીસીસીઆઈના નિવેદન બાદ પીસીબીના પૂર્વ અધ્યક્ષે ભારતની ટીમને વર્લ્ડ કપ માટે નહીં મોકલવાની ધમકી આપી હતી.
જ્યારે ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન જશે ત્યારે જ પાકિસ્તાન ભારતમાં યોજાનારા ICC ODI વર્લ્ડ કપમાં ટીમ મોકલશે. પીસીબીના પૂર્વ અધ્યક્ષ રમીઝ રાજાએ ઘણા ઇન્ટરવ્યુમાં આ વાત કહી હતી. જોકે, તેમને હોદ્દા પરથી હટાવવામાં આવ્યા બાદ મામલો થાળે પડતો જણાતો હતો.
— ICC Cricket World Cup (@cricketworldcup) May 10, 2023
નજમ સેઠીએ PCBનો હવાલો સંભાળ્યો અને તેમણે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICC ટૂર્નામેન્ટને લઈને કોઈ નિવેદન આપ્યું નથી. આ વાત ACC એટલે કે એશિયન ક્રિકેટ માટે કહેવામાં આવી છે. હાલમાં સ્થિતિ એવી છે કે હવે પાકિસ્તાને ભારતમાં આવીને વર્લ્ડ કપમાં ભાગ લેવો પડશે.
ભારતમાં યોજાનારા વર્લ્ડ કપ પહેલા ICC એ મોટો નિર્ણય લીધો છે. ICC પ્રમુખ ગ્રેગ બાર્કલે અને CEO જ્યોફ એલાર્ડિસે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને પોતે તમામ બાબતો પર ચર્ચા કરી હતી. બંનેએ ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ માટે ટીમ મોકલવા અંગે વાત કરવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની ખાસ મુલાકાત લીધી છે. ICCના અધિકારીઓ લાહોર પહોંચી ગયા છે અને PCB પાસેથી ખાતરી લીધી છે. જ્યારે ICCના અધ્યક્ષ પોતે પાકિસ્તાન પહોંચીને આવી વાતો કરે છે તો પાકિસ્તાન માટે ટુર્નામેન્ટમાં ભાગ લેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.
ICC એ સ્પષ્ટ કર્યું છે કે PCBએ આ વર્ષના અંતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમને ભારત મોકલવી જોઈએ. ICC દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે PCB પાકિસ્તાનમાં મેચો માટે હાઇબ્રિડ મોડલ લાગુ કરવાનો આગ્રહ રાખશે નહીં