સરકારી કચેરીઓમાં પ્રવેશ માટે હવે વેક્સિન સર્ટી ફરજિયાત નહીં, સરકારીની ઓફિસોમાં સર્ટી સાથે રાખવાનો હતો નિયમ
કોવિડ વેક્સિન સર્ટીને લઈ સરકારનો મોટો નિર્ણય
સરકારી કચેરીઓમાં પ્રવેશ માટે હવે વેક્સિન સર્ટી ફરજિયાત નહીં,
સામાન્ય વહીવટી વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો
સામાન્ય વહીવટ વિભાગના સંદર્ભિત પરિપત્રથી રાજ્યની તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીમાં તથા ઉપક્રમોમાં પ્રવેશ માટે Covid Vaccine Certificate (કોવિક રસીકરણ અંગેનું પ્રમાણપત્ર) ફરજીયાત કરવા અંગેની સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે. કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં, સરકારની પુખ્ત વિચારણાને અંતે સચિવાલયના તમામ વિભાગો, રાજ્યની તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તથા ઉપક્રમોમાં પ્રવેશ અંગે હવે કોવિડ વેક્સિન સર્ટી મરજિયાત કરી દેવામાં આવ્યું છે. હવે નાગરિકો પાસે સર્ટી ઉપલબ્ધ નહી હોય તો પણ ઉપરોક્ત જગ્યાઓમાં પ્રવેશ મળશે.
સ્વ ઘોષણાથી પણ નાગરિકો કચેરીમાં મેળવી શકશે પ્રવેશ
રાજ્યની તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીમાં તથા ઉપક્રમોમાં આવતા નાગરિકો/ મુલાકાતીઓને મુશ્કેલી ન પડે તે હેતુથી Covid Vaccine Certificate (કોવિડ રસીકરણ અંગેનું પ્રમાણપત્ર) ઉપલબ્ધ ન હોય તો સ્વ ઘોષણા (Self Declaration)થી પણ પ્રવેશ આપવાનો રહેશે.
કોરોનાને લઈને મુકાયેલા નિયંત્રણો પણ આજે હટાવાયા
ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઘટાડો આવતા ગુજરાત સરકારે મોટી લોકોને મોટી રાહત આપી છે.કોરોનાને લઈને મુકાયેલા નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. લગ્ન, સામાજીક, ધાર્મિક અને રાજકીય સમારંભમાં ભેગા થવા પર કોઈ જ મર્યાદા રાખવામાં આવી નથી.નવુ જાહેરનામુ 31 માર્ચ સુધી અમલી રહેશે.જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે.
આજે ગુજરાતમાં નજીવા 117 કોરોના કેસ
ગુજરાતમાં કોરોનાના આંકડો ફેબ્રુઆરીના શરૂઆતથી અંત સુધી સતત ઘટી રહ્યો છે એક સપ્તાહ એવું હતું કે ત્રણેય લહેરના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાઈ રહ્યા હતા. પણ હવે છેલ્લા 24 કલાકમાં 1117 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોનાને લીધે 02 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 344 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1820 સુધી પહોંચી ગઈ છે. જ્યારે 22 દર્દીઓ વેન્ટિલેટર પર છે.ચાર જિલ્લામાં કોરોના કેસ સતત 6 દિવસથી શૂન્ય આવતા તે કોરોના મુક્ત થઈ ગયા છે. જેમાં જુનાગઢ, બોટાદ, પોરબંદર, નર્મદાનો સમાવેશ થાય છે.