મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલા કરોડોના ડ્રગ્સમાં ટેરરિસ્ટ ફન્ડીંગ હોવાની આશંકાને પગલે હવે ગુજરાતમાં શરૂ થઈ શકે છે NIAની નવી શાખા.
ગુજરાતમાં શરૂ થઇ શકે છે NIAની શાખા
દેશમાં હાલ NIAની 12 શાખા કાર્યરત
નાર્કો ટેરેરીઝમ બાબતે કરશે તપાસ
રાજ્યમાં આતંકી હુમલાઓની દહેશત અને આશંકાને પગલે આતંકી અલર્ટ આપવામાં આવતું હોય છે તેમજ રાજ્યમાં ડ્રગ્સ અને ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે જેમાં ટેરર ફન્ડિંગ, નાર્કો ટેરેરીઝમની ઘટનાઓ સામે આવ્યા બાદ હવે સરકાર દ્વારા આવી પ્રવૃતિઓને રોકવા માટે મોટો નર્ણય લેવાઈ શકે તેવું લાગી રહ્યું છે.
નાર્કો ટેરેરીઝમ બાબતે કરશે તપાસ
ગુજરાતને મળી શકે છે વધુ એક મોટી ભેટ, નાર્કો ટેરેરીઝમની પ્રવૃતિઓને લઈને સરકાર દ્વારા મોટો નિર્ણય લેવાઈ શકે છે, આગામી સમયમાં હવે ગુજરાતમાં પણ NIAની શાખા શરૂ થાય તેવા સમાચાર સામે આવ્યા છે. અને આ શાખા ગાંધીનગર ખાતે કાર્યરત થાય તેવું મનાઈ રહ્યું છે, આપને જણાવી દઈએ કે દેશમાં કુલ 12 જેટલી NIAની શાખા હાલ કાર્યરત છે. તો વધુ એક શાખા ગુજરાતમાં પણ શરૂ કરવામાં આવી શકે છે.
ગુજરાતમાં શરૂ થઇ શકે છે NIAની શાખા
મહત્વનું છે રાજ્યમાં આતંકી હુમલા, નાર્કો ટેરેરીઝમ એક્ટિવિટી, તેમજ કરન્સી સ્કેમને લઈને NIA દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે, ગુજરાતમાં હવાલાકાંડ અને ધર્માંતરણ પ્રકરણ તેમજ મુન્દ્ર પોર્ટ પરથી પકડાયેલા કરોડોના ડ્રગ્સ, તેમજ ટેરર ફન્ડિંગ મામલે પણ NIA તપાસ કરી રહી છે ત્યારે ગુજરાતમાં જ NIAની નવી શાખા શરૂ કરવાની અટકળો વહેતી થઈ છે. મહત્વનું છે કે રાજ્યમાં થયેલા આતંકી હુમલા, કરન્સી સ્કેમ અને નાર્કો ટેરેરીઝમ બાબતે NIA તપાસ કરશે. મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલા કરોડોના ડ્રગ્સમાં ટેરરિસ્ટ ફન્ડીંગ હોવાની આશંકાને પગલે હવે ગુજરાતમાં શરૂ થઈ શકે છે NIAની નવી શાખા.