કેન્દ્ર સરકારે દેશમાં બેટરી સ્ટોરેજ વધારવાનો નિર્ણય કર્યો છે. આ માટે પ્રોડકશન લિંક્સ ઈન્સેટિવના રૂપણાં 18 હજાર કરોડ આપવાની જાહેરાત કરી છે. સરકારનું માનવું છે કે, ઉદ્યોગ ક્ષેત્રે આશરે 45 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવશે. જેનાથી ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો અને ડીઝલ-પેટ્રોલનો વપરાશ ઓછો થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ બેઠકનું આયોજન થયું હતું. બેઠકમાં બેટરી સ્ટોરેજને લઈ મહત્વના નિર્ણય કરાયા છે. આ નિર્ણયો અંગે જાણકારી આપતા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આ સમયમાં સરકાર પ્રતિવર્ષ આશરે 20 હજાર કરોડની બેટરી સ્ટોરેજનું આયાત કરે છે. આયાતને ઓછી કરવા અને પર્યાવરણને ધ્યાનમાં રાખી સરકારે બેટરી સ્ટોરેજને પ્રોત્સાહન આપવાનું નિર્ણય કર્યો છે.
પ્રકાશ જાવડેકરે કહ્યું કે, બેટરી સ્ટોરેજ વધારરવાથી ઈલેક્ટ્રિક વાહનોની ચાર્જીગ સહિત રેલવે અને સોલારના ક્ષેત્રમાં મોટી સફળતા હાથ લાગશે. દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં પણ વધારો થશે. ફાસ્ટ ચાર્જીંગ સ્ટેશન શરૂ થશે. અને સાથે સોલર સિસ્ટને પ્રોત્સાહન મળશે. સોલાસ સિસ્ટમ હાલમાં દિવસ પુરતી ઉપયોગી છે. પરંતુ બેટરી સ્ટોરેજ વધવાથી તે રાત્રીના સમયે પણ ઘણી ઉપયોગી સાબિત થશે. અને આ સાથે પર્યાવરણને પણ ફાયદો થશે.
જેને ધ્યાનમાં રાખી સરકારે 18 હજાર કરોડ ઈન્સેન્ટિવની યોજનાને મંજૂરી આપી દીધી છે. જેના કારણે 50 હજાર મેગાવોટની સુવિધા વધશે. સાથે દેશ અને વિદેશમાંથી આશરે 45 હજાર કરોડ રૂપિયાનું રોકાણ પણ આવશે. આ યોજનાનો હેતુ 50 હજાર મેગાવોટ પ્રતિ કલાક એસીસી નિર્માણ ક્ષમતાને મેળવવાનો છે. આ પ્રોત્સાહન તે કંપનીઓ માટે હશે. જેમની ઉત્પાદન અને વેચાણ ક્ષમતા વધારે છે.