ઈન્ડોનેશિયામાં લાઉડ સ્પીકરમાં અજાનને લઈને મોટો નિર્ણય લેવાયો છે. જેમા લાઉડસ્પીકરમાં અવાજ ઓછો કરવા આદેશ આપવામાં આવ્યા છે. આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવાયો છે.
ઈન્ડોનેશિયામાં અજાનમાં લાઉડસ્પીકર માટે મોટો નિર્ણય
લાઉડસ્પીકરમાં અવાજ ઓછો કરવાનો લેવાયો નિર્ણય
લોકોના સ્વાથ્યને લઈને લેવાયો મોટો નિર્ણય
ઈન્ડોનેશિયાએ લોકોના સ્વાસ્થ્યને લઈને મોટો નિર્ણય લીધો છે. મુસ્લિમ રાષ્ટ્ર ઈન્ડોનેશિયાએ અજાનના લાઉડસ્પીકરનો અવાજ ઘટાડવાનો નિર્ણય લીધો છે. વધારે પડતા અવાજને કારણે લોકોને ભારે હાલાંકી પડતી હોય છે. જેને લઈને મસ્જિદ પરિષદ દ્વારાજ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એક વ્યક્તિના વિરોધ પર સેના બોલાવી પડી
સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓને લઈને મસ્જિદ પરિષદ દ્વારા લેવામાં આવ્યો છે. થોડાક દિવસો પહેલા એક વ્યક્તિએ જ્યારે ફરિયાદ કરી હતી ત્યારે હજારોની સંખ્યામાં તેના એપાર્ટમેન્ટને ઘેરી લેવામાં આવ્યો હતો. પરિસ્થિતી એટલી ખરાબ થઈ હતી કે ત્યા સેના બોલાવી પડી હતી.
સ્વૈચ્છિક રીતે લેવાયો નિર્ણય
અજાનનો અવાજ ઓછો કરવાનો નિર્ણય કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. જકાર્તાની અલ-ઈકવાન મસ્જિદના ચેરમેન અહમદ તૌફિકે કહ્યું કે લાઉડસ્પીકર્સનો અવાજ ઓછો કરવાનો નિર્ણય સ્વૈચ્છિક રીતે લેવામાં આવ્યો છે. આ પહેલા બાદ લાઉડસ્પિકરનો અવાજ હવે ઘણો ઓછો થઈ ગયો છે.
ફરિયાદો વધતા લેવાયો નિર્ણય
લાઉડસ્પિકરના વધારે પડતા અવાજને લઈને અહીયા ઘણા લોકોએ વિરોધ કર્યો હતો. સાથેજ ઓનલાઈન ફરિયાદ પણ થીત હતી. ફરિયાદો વધી ગઈ જેથી વિશેષજ્ઞોએ કહ્યું કે લાઉડસ્પીકર્સના વધતા અવાજને કારણે લોકોના માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર પડતી હોય છે. જેમા લોકો ડિપ્રેશનમાં આવી જાય છે. ચિડચિડા થઈ જાય છે. સાથેજ લોકોને ઉંઘ પણ ઓછી આવતી હોય છે.
જર્મનીમાં પણ થઈ રહ્યો છે વિરોધ
ઉલ્લેખનીય છે કે જર્મનીમાં પણ અજાનની આવજનો વિરોધ થઈ રહ્યો રહ્યો છે. જેમા એએફડી પાર્ટીના ઉપ પ્રવક્તા મૈથિયસ બુશ્ગસે આરોપ લગાવ્યો કે અહીયા ઈસ્લામીકરણનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથેજ તેણે એમ પણ કહ્યું કે ઈસાઈ દેશને હવે ઈસ્લામિક દેશના રૂપે દેખાડવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે કોલોનમાં 1.2 લાખ મુસ્લિમ રહે છે. એટલે કે શહેરની કુલ વસ્તીના 12 ટકા લોકો.