વલસાડમાં માછીમારો માટે વેક્સિન નહીં તો કામ નહીં તેવી સ્થિતિ સર્જાઈ વેક્સિનની અછત સર્જાતા માછીમારો હેરાન થવુ પડી રહ્યું છે
વેક્સિન ન મળતા માછીમારો હેરાન પરેશાન
માછીમારોના રોજગાર સામે વિઘ્ન બની વેક્સિન
મોટા જહાજોમાં નોકરી કરવા માટે વેક્સિન ફરજિયાત
રાજ્યમાં સર્જાયેલી વેક્સિનની અછત જેવી સ્થિતિ સર્જાયા બાદ ફરી વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે હજુ પણ વલસાડમાં લોકોને વેક્સિન માટે હાલાકી વેઠવી પડી રહી છે આમ વેક્સિન નહી તો તો કામ નહીં તેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે મહત્વનું છે કે દરિયા કિનારે વસતા માછીમારો ધંધારોજગાર માટે મોટા જહાજોમાં કામ કરવા જતા હોય છે પરતું હાલ કોરોનાને કારણે વેક્સિન અનિવાર્ય કરી દેવામાં આવી છે આમ વેક્સિનની અછત કે પૂરતા સ્ટોક ઉપલબ્ધ ન હોવાથી માછીમારો વેક્સિન લેવાને હાલાકી પડી રહી છે જેથી વેક્સિન વિધ્ન સમાન બની રહી છે.
વેક્સિન ન મળતા માછીમારો પરેશાન
માછીમારોને કામ માટે મોટા જહાજોમાં જવુ પડતું હોય છે અને મોટા જહાજોમાં કામ માટે જતા પહેલા વેક્સિન ફરજિયાત લેવી પડતી હોય છે,પરતું વલસાડમાં જોઈએ એટલા પ્રમાણમાં વેક્સિનનો સ્ટોક મળતો ન હોવાથી માછીમારો વેક્સિનલે લઈને હાલાકી ભોગવી રહ્યા છે. અને વેક્સિનનું લઈ માછીમારો દુવિધામાં મુકાયા છે.
વેક્સિન નહી તો કામ નહીં
જો કે હજુ સુધી તંત્ર દ્વારા વેક્સિનની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી મોટા જહાજોમાં નોકરી કરવા જતા લોકોમાં મોટા ભાગે સૌથી વધુ યુવાનો હોય છે ત્યારે તેમને નોકરીને લઈ ચિંતા સતાવી રહી છે. ત્યારે માછીમાર સમાજ દ્વારા યુવાનોને વહેલી તકે વેક્સિન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
ધારાસભ્યએ DyCMને કરી રજૂઆત
વેક્સિનની અછતને લઈને ખૂદ વલસાડના ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરી છે અને વહેલી તકે વેક્સિન સ્ટોક પૂરો પાડવામાં આવે તેવી માંગ કરી છે.