કેન્દ્ર સરકારે ભાડા વધારાનો જે પ્રતિબંધ કોરોના કાળમાં એરલાઈન્સ પર મૂક્યો હતો તે હટાવી લીધો છે જેને કારણે એરલાઈન્સ હવે વિમાની ભાડા વધારી શકે છે.
હવાઈ સફર મોંઘી બનવાના એંધાણ
સરકારે એરલાઈન્સને ભાડા વધારવાની આપી મંજૂરી
કોરોનામાં મૂકાયેલો પ્રતિબંધ હટાવ્યો
આગામી દિવસોમાં એરલાઈન્સ હવે હવાઈ સફર મોંઘી કરશે તે નક્કી છે કારણે હવે સરકારે તેમને ભાડા વધારાની છૂટ આપી છે.
એરલાઇન્સ હવે મુસાફરો પાસેથી કેટલું ભાડું વસૂલવું તે નક્કી કરવા માટે સ્વતંત્ર છે. સરકારે રોગચાળો શરૂ થયો ત્યારે હવાઈ ભાડા પર જે મર્યાદા મૂકી હતી તેને હવે દૂર કરી દીધી છે.
Ministry of Civil Aviation withdraws the airfare cap with effect from 31st August. pic.twitter.com/WBmnmSllni
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયાએ કર્યું ટ્વિટ
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિઁધિયાએ ટ્વિટ કરીને એવું જણાવ્યું કે રોજબરોજની માગ અને એર ટર્બાઈલ ફ્યુઅલની કાળજીપૂર્વક કરાયેલી સમીક્ષા બાદ હવાઈ ભાડા પરનો પ્રતિબંધ દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. હવે એરલાઈન્સમાં સ્થિરતા શરુ થઈ છે અને અમને ગળા સુધી ખાતરી છે કે નજીકના ભવિષ્યમાં ઘરેલુ ટ્રાફિક માટે એવિએશન સેક્ટરનો ખૂબ વિકાસ થશે.
The decision to remove air fare caps has been taken after careful analysis of daily demand and prices of air turbine fuel. Stabilisation has set in & we are certain that the sector is poised for growth in domestic traffic in the near future. https://t.co/qxinNNxYyu
અપર અને લોઅર લિમિટ પણ હટાવાઈ
સરકારી આદેશ બાદ હવે ભાડા પર કોઈ પ્રતિબંધ રહ્યો નથી- અપર અને લોઅર લિમિટ પણ દૂર કરી દેવાઈ છે જોકે એરલાઈન્સ ટિકિટમાં છૂટ આપી શકે છે.
સરકારે કોરોનામાં એરલાઈન્સ પર ભાડા વધારા પર મૂક્યો હતો પ્રતિબંધ
કોરોના કાળમાં સરકારે ભાડા વધારા પર પ્રતિબંધ મૂક્યો હતો જેને કારણે એરલાઈન્સ ભાડા વધારી શકતી નહોતી પરંતુ હવે સરકારે એરલાઈન્સ કંપનીઓને મોકળું મેદાન આપ્યું છે જેને કારણે ભાડા વધવાનું નક્કી છે. એરલાઈન્સ છેલ્લા ઘણા સમયથી એવી માગ કરી હતી કે ભાડા ન વધારાને કારણે તેમને મોટી ખોટ જઈ રહી છે.
આગામી સમયમાં હવાઈ મુસાફરી મોંઘી બનશે
સરકારે ભાડા વધારાની મર્યાદા હટાવી હોવાથી હવે ગમે ત્યારે એરલાઈન્સ કંપનીઓ હવાઈ ભાડામાં વધારો કરી શકે છે.