ઈશાન કિશન ટીમ ઈન્ડિયા સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જઈ રહ્યો છે પણ જો તે IPL દરમિયાન થયેલી ઈજાને કારણે બહાર થઈ જાય છે તો તેના સ્થાને કયો ખેલાડી જઈ શકે છે?
ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની ટીમમાં મોટા ફેરફાર થઈ શકે છે
મુંબઈ ઈન્ડિયન્સનો ઈશાન કિશન ઈજાગ્રસ્ત થયો હતો
ઈજાને કારણે બહાર થઈ જાય છે તો તેના સ્થાને કયો ખેલાડી જઈ શકે છે?
7 જૂનથી ઇંગ્લેન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાશે. જણાવી દઈએ કે આ શાનદાર મેચ માટે ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ પણ ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે અને બાકીના ખેલાડીઓ આઈપીએલ ફાઈનલ બાદ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. નોંધનીય છે કે ભારતીય ટીમના ખેલાડીઓ આ મેચ માટે જોરદાર તૈયારી કરી રહ્યા છે પણ આ બધા દરમિયાન એક ખેલાડીએ ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન રોહિત શર્માનું ટેન્શન બમણું કરી દીધું છે. આ ખેલાડીની ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની ટીમમાં મોટા ફેરફાર થઈ શકે છે.
ઈશાન કિશન થયો ઇજાગ્રસ્ત!
હાલમાં ભારતમાં આઈપીએલ રમાઈ રહી છે. શુક્રવારે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો હતો. મહત્વનું છે કે આ ખેલાડી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમ ઈન્ડિયાનો પણ ભાગ હતો. ઈશાન કિશન ટીમ ઈન્ડિયા સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જઈ રહ્યો છે પણ જો તે IPL દરમિયાન થયેલી ઈજાને કારણે બહાર થઈ જાય છે તો તેના સ્થાને કયો ખેલાડી જઈ શકે છે?
NEWS - KL Rahul ruled out of WTC final against Australia.
Ishan Kishan named as his replacement in the squad.
આ ખેલાડીને તક મળી શકે છે
કેએલ રાહુલની ઈજાના કારણે ઈશાન કિશનને ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. કેએલ રાહુલ પણ આઈપીએલ દરમિયાન એક મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. આવું જ કંઈક ઈશાન કિશન સાથે થયું છે. હવે ઈશાન કિશનની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી શકે છે. સૂર્યા સારા ફોર્મમાં છે અને મિડલ ઓર્ડરમાં ટીમ ઇન્ડિયા માટે લાંબી ઇનિંગ્સ રમી શકે છે. જો કે ઈશાન કિશન એક વિકેટ કીપર બેટ્સમેન છે જે મેચ દરમિયાન વિકેટ કીપિંગ પણ કરી શકતો હતો. એ સમયએ ટીમમાં કેએસ ભારત અને ઇશાન કિશન બે વિકેટકીપર હતા એવામાં જો ઈશાનની જગ્યાએ સૂર્યાને ટીમમાં સામેલ કરવામાં આવે છે તો ભારત માત્ર એક વિકેટકીપર સાથે ફાઇનલમાં જશે.