બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Big change in Team India ahead of India-Bangladesh 3rd ODI, this player has been given a place in the team

IND vs BAN / ભારત-બાંગ્લાદેશની ત્રીજી વન-ડે પહેલાં ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, આ ખેલાડીને અપાયું ટીમમાં સ્થાન

Megha

Last Updated: 12:48 PM, 9 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેપ્ટન રોહિત શર્મા સહિત ત્રણ ભારતીય ક્રિકેટરો ઈજાના કારણે સીરિઝની છેલ્લી મેચમાંથી બહાર થયા છે.

  • બાંગ્લાદેશ સીરિઝના વાઇસ કેપ્ટન કેએલ રાહુલ ટીમનું નેતૃત્વ કરશે
  • ફાસ્ટ બોલર કુલદીપ સેન પણ બહાર 
  • કુલદીપ યાદવને ત્રીજી અને અંતિમ વનડેમાં મળશે મોકો 

ડાબા હાથના સ્પિનર કુલદીપ યાદવને 10 ડિસેમ્બરના દિવસે બાંગ્લાદેશ સામેની ત્રીજી ODI માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે કેપ્ટન રોહિત શર્મા સહિત ત્રણ ભારતીય ક્રિકેટરો ઈજાના કારણે સીરિઝની છેલ્લી મેચમાંથી બહાર થયા હતા અને તેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ એવું માનવામાં આવી રહ્યું છે કે રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાના હાલના બાંગ્લાદેશ સીરિઝના વાઇસ કેપ્ટન કેએલ રાહુલ ભારતનું નેતૃત્વ કરશે. આ સાથે જ હાલ સમાચાર મળી રહ્યા છે કે અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ કુલદીપ યાદવને ત્રીજી અને અંતિમ વનડે માટે ભારતીય ટીમમાં સામેલ કર્યો છે.

રોહિત શર્મા નહીં રમે ત્રીજી વનડે મેચ 
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને બીજી વનડેમાં ફિલ્ડિંગ કરતાં સમયે વખતે બીજી ઓવરમાં અંગૂઠામાં ઈજા પંહોચી હતી અને એ પછી બીસીસીઆઈની મેડિકલ ટીમ દ્વારા અને ઢાકાની સ્થાનિક હોસ્પિટલમાં તેનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. એકપર્ટની સલાહ પછી કેપ્ટન રોહિત શર્મા ફરી મુંબઈ જવા રવાના થયા હતા અને એ કારણે તેઓ છેલ્લી વનડેમાં રમી શકશે નહીં. આ સાથે જ આવનાર ટેસ્ટ સીરિઝ માટે તેની હાજરી અંગે પછીથી નિર્ણય લેવામાં આવશે.

ફાસ્ટ બોલર કુલદીપ સેન પણ બહાર 
રોહિત શર્મા સિવાય ફાસ્ટ બોલર કુલદીપ સેને પણ પહેલા વનડે પછી પીઠ અકડાઈ જવાની સમસ્યા થઈ હતી અને એ પછી બીસીસીઆઈની મેડિકલ ટીમે તેનું મૂલ્યાંકન કર્યું. આ બધા પછી કુલદીપને પણ બીજી વનડેથી આરામની સલાહ આપવામાં આવી. જો કે કુલદીપને તણાવને કારણે ઈજા હોવાનું નિદાન થયું છે પણ હાલ સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.

ફાસ્ટ બોલર દીપક ચહર પણ બહાર 
આ ઉપરાંત ફાસ્ટ બોલર દીપક ચહરને બીજી ODI દરમિયાન ડાબા હાથની હૅમસ્ટ્રિંગમાં તણાવ થયો હતો અને તે પણ સીરિઝમાંથી પણ બહાર થઈ ગયો હતો. હાલ કુલદીપ અને દીપક બંને હવે તેમની ઇજાઓના વધુ સંચાલન માટે NCAને રિપોર્ટ કરશે.

બાંગ્લાદેશ સામેની ત્રીજી ODI માટે ટીમ ઈન્ડિયા:
KL રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન, શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર , મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, કુલદીપ યાદવ.

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Kuldeep Yadav Team India કુલદીપ યાદવ રોહિત શર્મા Kuldeep Yadav
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ