યુપી સહિત બીજા રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા RSS માં મોટો ફેરફાર કરાયો છે. હવે સંઘના અરુણકુમાર ભાજપ સાથે સમન્વય સાધવાનું કામ કરશે.
યુપીના ચિત્રકૂટની સંઘની બેઠકમાં મોટો નિર્ણય
હવે અરુણ કુમાર ભાજપ સાથે કોર્ડિનેશનનું કામ કરશે
અત્યાર સુધી કૃષ્ણ ગોપાલ આ કામ કરતા હતા
સહ સરકાર્યવાહ અરુણ કુમારને રાજકીય સંપર્ક સાધવાની પણ જવાબદારી સોંપવામાં આવી છે. અરૃણ કુમાર પહેલા કૃષ્ણ ગોપાલ આ કામ સંભાળતા હતા.
ચિત્રકૂટમાં થયેલી સંઘની મોટી બેઠકમાં આ નિર્ણય લેવાયો
સૂત્રોના જણાવ્યાનુસાર, યુપીના ચિત્રકૂટમાં થયેલી સંઘની મોટી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત, સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલે સહિત સંઘના સિનિયર પદાધિકારીઓ હાજર રહ્યાં હતા. સંઘના સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલેએ રાષ્ટ્રીય સ્તર પર ભાજપની સાથે કોર્ડિનેશનની જવાબદારી અરુણ કુમારને સોંપી છે.
ત્રણ મહિના પહેલા સંઘના સિનિયર નેતા દત્તાત્રેય હોસબોલેને સંઘના નવા સરકાર્યવાહ બનાવાયા છે. દત્તાત્રેય 2009 થી સંઘના સરકાર્યવાહ હતા. સરકાર્યવાહક બન્યા બાદ તેમણે તેમની ટીમમાં ફેરફાર કર્યો છે અને હવે સંઘ અને ભાજપના વચ્ચેના સમન્વયની જવાબદારી પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
સંઘ અને ભાજપમાં કોર્ડિનેટરની કેમ જરુર હોય છે
ભાજપ અને સંઘની વચ્ચે સમન્વય માટે એક સીનિયર પ્રચારકને જવાબદારી સોંપવામાં આવે છે. આ રાજ્ય સ્તરે પણ હોય છે અને રાષ્ટ્રીય સ્તરે પણ. રાષ્ટ્રીય સ્તરે 2014 પછી આ ફેરફાર કરવામાં આવ્યો હતો. 2014 માં ભાજપ અને સંઘની વચ્ચે કોર્ડિનેશનની જવાબદારી સંઘના સિનિયર નેતા કૃષ્ણ ગોપાલને સોંપવામાં આવી હતી. ભાજપ અને સંઘની વચ્ચે સંપર્ક સાધવાની જવાબદારી જેમને સોંપવામાં આવે છે તેઓ ભાજપના મનની વાત સંઘ સુધી કે સંઘની વાત ભાજપ સુધી પહોંચાડે છે. તે બન્નેની વચ્ચે બ્રિજનું જેવું કામ કરે છે. તેથી આ જવાબદારી ઘણી મોટી છે.