ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા વડોદરા ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે. સાવલીના ક્ષત્રિય સમાજના મોટા નેતા કુલદીપસિંહ રાઉલજીએ ભાજપનું કમળ છોડીને કોંગ્રેસનો પંજો પકડી લીધો છે.
સાવલી વિધાનસભામાં ચૂંટણી પહેલા મોટો ઉલટફેર
ક્ષત્રિય સમાજના મોટા નેતા કોંગ્રેસમાં જોડાયા
કુલદીપસિંહ સાવલી બેઠક પર ચૂંટણી લડે તેવી શક્યતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના નગારા વાગતાની સાથે જ રાજકીય પક્ષો મહેનત અને મંથનમાં લાગી ગયા છે. દરેક પક્ષો સક્ષમ ઉમેદવારોની આકરણી કરવામાં જોતરાયા છે. મતદારોને રિઝવી બુલંદ જીત હાંસલ કરવા રાજકીય પક્ષો એકપછી એક દાવ રમી રહ્યા છે. જેના ભાગ રૂપે પક્ષ પલટાની મોસમ પણ મોટા પાયે ખીલી રહી છે. ત્યારે સાવલી ક્ષત્રિય સમાજના મોટા નેતા કુલદીપસિંહ રાઉલજી ભાજપ સાથે છેડો ફાંડીને કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.
કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે ધારણ કર્યો ખેસ
આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં મોટો ઉલટફેર થયો છે. બરોડા ડેરીના ડિરેક્ટર અને ક્ષત્રિય સમાજના અગ્રણી કુલદીપસિંહ રાઉલજી કોંગ્રેસમાં જોડાયા છે. તેમની સાથે તેમના સમર્થકોએ પણ કોંગ્રેસનો પંજો પકડી લીધો છે. તેમણે પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.
કોંગ્રેસ તરફથી લડી શકે છે ચૂંટણી
એવું કહેવામાં આવી રહ્યું છે કે, કુલદીપસિંહ રાઉલજી ભાજપમાં ટિકીટ મેળવવાના અનેક પ્રયાસ કરી ચૂંક્યા છે. જોકે, તેમને ભારતીય જનતા પાર્ટી ટિકિટ નહીં આપે તેવો અણસાર આવી જતા તેઓએ ભાજપને અલવિદા કહી દીધું છે. તેઓ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે. સૂત્રો દ્વારા એવું કહેવાઈ રહ્યું છે કે, તેઓ સાવલી બેઠક પર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી શકે છે.
વડોદરા ભાજપને મોટો ઝટકો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. સાવલી વિધાનસભાની ચૂંટણી લડવાની છેલ્લા એક વર્ષથી તૈયારી કરતા કુલદીપસિંહ રાઉલજી ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપમાં ટિકીટ મેળવવાના અનેક પ્રયાસ રાઉલજી કરી ચુક્યા છે. જોકે ભાજપ ટિકીટ નહીં આપી શકેનો અંદેશો મળતા કોંગ્રેસમાં જોડાયા છે. છેલ્લા 10 વર્ષથી કુલદીપસિંહ ભાજપમાં જોડાયેલા હતા. ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પોતાના સમર્થકો સાથે કુલદીપસિંહ કોંગ્રેસમાં જોડાયા છે. પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ અને અમિત ચાવડાની હાજરીમાં ખેસ ધારણ કરી વિધારધારા બદલી છે.
કોણ છે કુલદીપસિંહ રાઉલજી?
- કુલદીપસિંહ ક્ષત્રિય નેતા છે
- તેઓ બરોડા ડેરીના ડિરેક્ટર પણ છે.
- કુલદીપસિંહ ડેસર APMCના વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે.