વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાને હવે 2 જ દિવસ બાકી છે અને પ્રચાર પ્રસાર પણ અંતિમ ચરણ પર છે.BTPના તાલુકા પંચાયતના સદસ્ય સહિત 100થી વધારે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.
રાજકીય પક્ષો પ્રચાર માટે એડિચોટીનું જોર લગાવી રહ્યા છે
વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાને હવે 2 જ દિવસ બાકી છે અને પ્રચાર પ્રસાર પણ અંતિમ ચરણ પર છે. ત્યારે આજે સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા પૈકી ઈડર, હિંમતનગર તેમજ ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકોના ઉમેદવારોઓએ પ્રચાર કરી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. હિંમતનગર વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર કમલેશભાઈ પટેલે પદયાત્રા કરી તમામ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરીએ પણ તેમના મતવિસ્તારમાં પદયાત્રા કરી હતી. તે જ સમયે BTPના તાલુકા પંચાયતના સદસ્ય સહિત 100થી વધારે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. અને ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અશ્વિનભાઈ કોટવાલના સમર્થનમાં પ્રચાર કર્યો હતો.
ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનું એડીચોટીનું જોર
વિધાનસભાની ચૂંટણીમાં મતદાન માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભાઓ પૈકી ઈડર હિંમતનગર તેમજ ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકો ના ઉમેદવારોઓએ રેલી તેમજ રોડ શો કરી મતદારો સુધી પહોંચવાનો તનતોડ પ્રયાસ કર્યો હતો તેમજ ખેડબ્રહ્મા ખાતે બીટીપી ના તાલુકા પંચાયત સદસ્ય સહિત 100 થી વધારે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા ગરમાવો વ્યાપ્યો છે.
BTP ના 100 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
મતદાનના દિવસે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે હિંમતનગર વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર કમલેશભાઈ પટેલે પદ યાત્રા કરી હિંમતનગર શહેરના તમામ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો તો ઈડર વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવાર તેમજ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાએ જંગી જાહેર રેલી યોજી મતદારોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું બીજી તરફ ખેડૂતોમાં વિધાનસભા બેઠક ઉપર પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરી કોંગ્રેસના ઉમેદવાર તરીકે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવા માટે પદયાત્રા કરી મતદારો ને મનાવવા કમર કસી હતી જોકે ખેડૂતોમાં વિધાનસભા બેઠક ઉપર ભાજપનો ઉમેદવાર અશ્વિનભાઈ કોટવાલે આજે btp ના તાલુકા સદસ્ય સહિત 100 થી વધારે કાર્યકર્તાઓને ભાજપમાં ભેળવી દેતા રાજકીય આપ્યો હતો જો કે આગામી સમયમાં સરકાર રહે છે એ તો સમય જ બતાવશે.