ક્રિકેટ વર્લ્ડ કપ 2019નાં ફાઇનલમાં સુપર ઓવરમાં સ્કોર બરાબર હોવા છતાં મેચમાં વધારે બાઉન્ડ્રી લગાવવાને કારણે ઇંગ્લેન્ડ વિશ્વ વિજેતા બન્યું. ત્યાર બાદ આ નિયમ વિવાદાસ્પદ બન્યો અને આ નિયમને લઇને ચર્ચા વિશ્વ ક્રિકેટમાં થવા લાગી.
જ્યાં સુધી કોઇ ટીમ વિજેતા ના જાહેર થાય ત્યાં સુધી રમાશે સુપર ઓવર
આ નિયમ તમામ પ્રકારની ફાઇનલ મેચો પર થશે લાગુ
હવે આ નિયમનો ઉપયોગ બંધ થવાનું શરૂ થઇ ગયું છે અને આની પહેલ ઓસ્ટ્રેલિયા (Australia) એ કરી છે. ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલ બિગ બૈશ ટી-20 લીગમાં આ નિયમનો ઉપયોગ નહીં થાય. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મંગળવારનાં રોજ કહ્યું કે, નવા નિયમો અનુસાર પુરૂષ અને મહિલા T-20 લીગ (T20 league) નાં ફાઇનલમાં જો બે ટીમોનો સ્કોર નિર્ધારિત ઓવર અને પછી સુપર ઓવર બાદ પણ ટાઇ રહે છે તો ત્યાં સુધી સુપર ઓવર (super over) નો ઉપયોગ કરવામાં આવશે કે જ્યાં સુધી કોઇ ટીમ સ્પષ્ટ રૂપથી વિજેતા ના બની જાય. આ નિયમ તમામ પ્રકારની ફાઇનલ મેચો પર લાગુ થશે.
14 જુલાઇનાં રોજ લોર્ડ્સમાં રમવામાં આવેલા વિશ્વ કપ ફાઇનલમાં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટ પર 241 રન બનાવ્યાં હતાં. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇગ્લેન્ડની ચીમ 241 રન જ બનાવી શકી. વર્લ્ડકપનાં નિયમ અનુસાર બંને ટીમ સુપર ઓવર રમવા ઉતરી. બંને ટીમે સુપર ઓવરમાં પણ 15 રન બનાવ્યાં, પરંતુ ઇગ્લેન્ડને મેચમાં વધારે બાઉન્ડ્રી લગાવવાને કારણ વિજેતા જાહેર કરવામાં આવ્યાં. ઇગ્લેન્ડે પ્રથમ વાર વર્લ્ડકપ જીત્યો, પરંતુ અનેક લોકોએ ટાઇબ્રેકરનાં આ નિયમ પર સવાલ ઉઠાવ્યો.
આઇસીસીનાં કાર્યકારી અધ્યક્ષ એલરડાઇસે આ નિયમને લઇને જણાવ્યું હતું કે, અનિલ કુંબલેની અધ્યક્ષતાવાળી ક્રિકેટ સમિતિ જેમાં એન્ડ્રયૂ સ્ટ્રૉસ, મહેલા જયવર્ધને, રાહુલ દ્રવિડ અને શૉન પોલક શામેલ છે. વર્લ્ડકપમાં ઉઠાવેલા મુદ્દાઓ પર આગામી વર્ષે યોજાનારી પોતાની મીટિંગમાં ચર્ચા કરશે. ખૂબ સંભાવના છે કે આગામી વર્ષ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી-20માં બાઉન્ડ્રી કાઉન્ટનો નિયમ બદલી શકાય છે.