નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવી રહેલા બજેટમાં ખેડૂતો માટે કરાઈ મોટી જાહેરાતો, કૃષિ લોન 20 લાખ કરોડ સુધી વધારવામાં આવી, ખેડૂતોને મોટા અનાજનું ઉત્પાદન કરવા ટ્રેનિંગ આપવામાં આવશે.
નાણામંત્રીએ કૃષિ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો કરી
બગીચાની યોજના યોજના માટે 2200 કરોડ
કપાસની ખેતીમાં PPP મોડલ અપનાવાશે
ખેડૂતોને ડિજિટલ ટ્રેનિંગ અપાશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું છે. બજેટમાં નાણામંત્રીએ કૃષિ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો પણ કરી છે. નાણામંત્રીએ કહ્યું કે, પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા કરોડો ખેડૂતોને ફાયદો થયો છે. 28 મહિનામાં 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે.
કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરાયો
નાણામંત્રીએ કહ્યું, "એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડથી કૃષિ સ્ટાર્ટઅપ્સ વૃદ્ધિ પામશે. આનાથી ખેડૂતોને મદદ મળશે અને પડકારોનો સામનો કરવામાં સરળતા રહેશે. તેનાથી ઉત્પાદકતામાં વધારો થશે. આ ખેડૂતો, રાજ્ય અને ઉદ્યોગ ભાગીદારો વચ્ચે હશે. પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ પર ધ્યાન આપવાની સાથે કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરવામાં આવશે."
Agriculture Credit Target to be increased to Rs. 20 lakh crores, with focus on animal husbandry, dairy, and fisheries
કૃષિ ક્ષેત્ર માટે મોટી જાહેરાતો
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, કૃષિ સાથે જોડાયેલા સ્ટાર્ટઅપને પ્રાથમિકતા આપવામાં આવશે. કૃષિ માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. યુવાઓ માટે કૃષિવર્ઘક ફંડ બનાવવામાં આવશે. ખેડૂતોને મોટા અનાજનું ઉત્પાદન કરવા ટ્રેનિંગ આપવામાં આવશે. કૃષિ લોન 20 લાખ કરોડ સુધી વધારવામાં આવી છે. અગ્રીકલ્ચ એક્સેલેરેટર ફંડનું ગઠન થશે. સ્ટાર્ટઅપ માટે કૃષિફંડ બનશે
કૃષિ સાથે જોડાયેલા સ્ટાર્ટઅપને આપવામાં આવશે પ્રાથમિકતા
કૃષિ માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે
યુવાઓ માટે કૃષિવર્ઘક ફંડ બનાવવામાં આવશે
મોટા અનાજને આપવામાં આવશે અનાજનું નામ
ખેડૂતોને મોટા અનાજનું ઉત્પાદન કરવા આપવામાં આવશે ટ્રેનિંગ
કૃષિ લોન 20 લાખ કરોડ સુધી વધારવામાં આવી
અગ્રીકલ્ચ એક્સેલેરેટર ફંડનુ ગઠન થશે
સ્ટાર્ટઅપ માટે કૃષિફંડ બનશે
બગીચાની યોજના યોજના માટે 2200 કરોડની ફાળવણી કરવામાં આવશે
કપાસની ખેતીમાં PPP મોડલ અપનાવાશે
ખેડૂતોને ડિજિટલ ટ્રેનિંગ અપાશે
કિસાન સમ્માન નિધિ માટે 2.2 લાખ કરોડની ફાળવણી
ઓર્ગેનિક ખેતી માટે PM પ્રણામ યોજનાની શરૂઆત
બાયોમાસ માટે રાજકોષીય સહાય મળશે
ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે સહાયતા મળશે
10 હજાર બાયો ઈનપુટ રિસોર્સ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે
ગોબર ધન સ્કીમ અંતર્ગત 500 પ્લાન્ટ બનશે
ગોબર ધન યોજના હેઠળ 10 હજાર કરોડનુ ખર્ચ કરાશે
1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પોત્સાહિત કરાશે
કીટનાશક માટે 10 હજાર બાયોઈનપુટ સેન્ટર બનાવાશે
વૈકલ્પિક ખાતરો માટે નવી યોજનાઓ બનશે
2022ના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે શું હતું?
વર્ષ 2022ના બજેટમાં નાણામંત્રીએ ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે સરકાર દ્વારા કેમિકલ અને જંતુનાશક મુક્ત ખેતીનો વ્યાપ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. નાણામંત્રીએ કહ્યું હતું કે, 44,605કરોડ રૂપિયાનો કેન-બેતવા લિંક પ્રોજેક્ટ ખેડૂતોની 9 લાખ હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ કરવા માટે લાગુ કરવામાં આવશે. જે ખેડૂતો અને સ્થાનિક લોકોને સિંચાઈ, ખેતી અને આજીવિકાની સુવિધાઓ પૂરી પાડશે. બજેટમાં મોટી જાહેરાત હેઠળ નાણામંત્રીએ કહ્યું હતું કે, રવિ પાક 2021-22માં 163 લાખ ખેડૂતો પાસેથી 1208 મેટ્રિક ટન ઘઉં અને ડાંગર ખરીદવામાં આવશે. ખેડૂતો કુદરતી ખેતી અપનાવે તે માટે રાજ્ય સરકારો અને MSMEની ભાગીદારી માટે એક વ્યાપક પેકેજ રજૂ કરવામાં આવશે.