કેન્દ્ર સરકાર બેકાર અને સંપૂર્ણ રીતે ઉપયોગમાં ન આવનારી 100 સંપત્તિઓને બજારમાં વેચીને 2.5 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાની કોશિશ પર કામ કરી રહી છે.
કેન્દ્ર સરકાર કરી રહી છે આ કામ
100 બેકાર સંપત્તિઓને વેચવાની કોશિશમાં
ભેગા કરશે 2.5 લાખ કરોડ રૂપિયા
सरकार जब व्यापार करने लगती है तो बहुत नुकसान होते हैं। निर्णय लेने में सरकार के सामने बंधन होते हैं। सरकार में वाणिज्यिक निर्णय लेने का अभाव रहता है। सभी को आरोप और कोर्ट का डर रहता है। इस कारण सोच रहती है कि जो चल रहा है उसे चलने दो ऐसी सोच के साथ व्यापार नहीं हो सकता: PM मोदी pic.twitter.com/ZykTBVIbky
પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર મોદ્રિકરણ અને આધુનિકીકરણ પર ભાર મૂકી રહ્યું છે. આ માટે તેઓએ કહ્યું કે એસેટ મોનેટાઈઝેશન સ્કીમના આધારે બેકાર પડી રહેલી અને અધૂરા ઉપયોમગાં આવી રહેલી 100 જેટલી સરકારી સંપત્તિઓનું મૌદ્રિકરણ કરાશે. તેનાથ સરકારને 2.5 લાખ કરોડ રૂપિયા મળશે. આ રૂપિયાનો ઉપયોગ સામાન્ય લોકો પર કરી શકાશે. સાથે જ પ્રાઈવેટ સેક્ટરને લઈને કહ્યું છે કે ખાનગી ક્ષેત્રથી કાર્યદક્ષતા વધે છે અને સાથે લોકોને રોજગાર પણ મળે છે. તેઓએ કહ્યું કે સરકાર 4 રણનીતિના ક્ષેત્રને સિવાય દરેક સાર્વજનિક ઉપક્રમોના ખાનગીકરણને લઈને પ્રતિબદ્ધ છે.
જ્યારે પણ સરકાર કારોબારમાં હસ્તક્ષેપ કરે છે તો થાય છે નુકસાન
પીએમ મોદીએ કહ્યું કે રણનીતિના મહત્વના 4 ક્ષએત્રોમાં સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓને ઓછામાં ઓછા સ્તરે રાખવામાં આવે. સાથે જ જ્યારે સરકાર મૌદ્રિકરણ કરે છે તો તેને ખાસી જગ્યાનએ પ્રાઈવેટ સકેટર જ ભરે છે. ખાનગી ક્ષેત્ર રોકાણના સાથે વૈશ્વિક સ્તર પર અપનાવાતી ચીજોને સાથે લાવે છે. તેઓએ કહ્યું કે સરકારનું કામ કારોબાર કરવાનું નથી. તેમનું કામ વિકાસ પરિયોજનાઓ પર ધ્યાન અપાવાનું છે. જ્યારે પણ સરકાર કારોબારમાં હસ્તક્ષેપ કરે છે ત્યારે મોટું નુકસાન થાય છે. નિયમોથી બંધાયેલી સરકાર મુશ્કેલ અને જોખમવાળા નિર્ણયો લઈ શકતી નથી. તેઓએ કહ્યું કે સરકાર 111 લાખ કરોડ રૂપિયાની નવી રાષ્ટ્રિય બુનિયાદી પરિયોજનાઓ પર કામ કરી રહી છે.
सरकार का व्यापार में रहने का कोई काम नहीं है। सरकार का ध्यान लोगों के कल्याण और विकास से जुड़ी परियोजनाओं में ही रहना चाहिए: प्रधानमंत्री नरेंद्र मोदी, वेबिनार में निवेश और सार्वजनिक संपत्ति प्रबंधन विभाग के लिए बजट में घोषणाओं पर बोलते हुए pic.twitter.com/WmKWoNmUQf
સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમોના ખાનગીકરણ પર પીએમ મોદીએ કહ્યું કે આ સમયની માંગ છે. સરકારી કંપનીઓની સ્થાપનાનો અલગ સમય હતો અને તે સમયની જરૂરિયાતો પણ અલગ હતી. હવેથી 50-60 વર્ષ સારા પરિણામ આપનારી નીતિઓમાં સમયના અનુસાર સુધારાની આશા છે અને તે દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે. તો અમારો હેતુ પબ્લિક મનીનો સારો ઉપયોગ છે. તેઓએ કહ્યું કે મૌદ્રિકરણ અને વિનિવેશની મદદથી એકઠી થનારી રકમનો ઉપયોગ વિકાસ પરિયોજનાઓ પર કરાશે. મૌદ્રિકરણ અને ખાનગીકરણના નિર્ણયોથી ભારતીય નાગરિકોને સશક્ત બનાવવામાં મદદ મળશે.