ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તબીબી શિક્ષકોની માગણીનો સ્વિકાર કરતા 7મા પગાર પંચ ધોરણે NPAનો લાભ આપવાની જાહેરાત કરી છે
રાજ્યમાં ડોક્ટરો દ્વારા પડતર માગણીના મામલે જાહેરાત
ગૃહરાજ્ય મંત્રી દ્વારા પત્રકાર પરિષદમાં કરાઈ જાહેરાત
તબીબ શિક્ષકોને સાતમાં પગાર પંચ પ્રમાણે NPAના લાભો મળશે
રાજ્યમાં લાંબા સમયથી તબીબો દ્વારા પડતર માગણીને લઈ આંદોલનનો સુખદ અંત આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રીએ તબીબી શિક્ષકોની માગણીનો સ્વિકાર કરતા 7મા પગાર પંચ ધોરણે NPAનો લાભ આપવાની જાહેરાત કરી છે. GMERS હેઠળ ભરતી થયેલા ટ્યુટર અને મેડિકલ ઓફિસર સંવર્ગમાં નિયમિત નિમણૂક પામેલા તબીબોને પણ લાભ મળશે. આ સાથે તેમની અન્ય માગણીનો પણ સ્વિકાર કર્યો છે. જેમાં NPAનો હવે સાતમાં પગાર પંચ પ્રમાણે અપાશે. સાથે એક કમિટીનું પણ ગઠન કર્યું છે.
ગૃહરાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં રચાઈ હતી કમિટી
ડૉકટર હડતાળ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહે જાહેરાત કરી છે. ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું, મારા અધ્યક્ષ સ્થાને કમિટી રચના કરી હતી. મેડિકલ ટીચર એસો.સાથે ચર્ચા કર્યા બાદ આજે સુખદ અંત આવ્યો છે. બધા ડોકટર કોરોના વોરિયસ તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે. તબીબી શિક્ષકોને NPAના લાભો સાતમા પગાર પંચ પ્રમાણે અપાશે. છઠ્ઠા પગાર પંચ પ્રમાણે NPA મળતું હતું. સરકારી મેડિકલ કોલેજ ખાતે જુદા જુદા વિષય સંવર્ગમાં ગુજરાત માહિતી આયોગ અંતર્ગત બઢતી એક જ હુકમથી આપવામાં નિર્ણય લેવાયો છે.
GMERS ડોકટર્સને NPA આપવાનો નિર્ણય લેવાયો છે. GMERS ડોક્ટર્સની અન્ય માંગણીઓ પણ સ્વીકારવામાં આવી છે. નર્સિંગ સ્ટાફ માટે પણ નિર્ણય લેવાયો છે. જેમાં સાતમા પગાર પંચ ધોરણે વેતન અપાશે. અને નિયમિત ધોરણે નિમણૂક પામેલાને બઢતી અપાશે.
GMERSના તબીબોની હડતાળ સામે આખરે સરકાર ઝુકી છે અને સુખદ અંત આવ્યો છે. સરકારે ડોક્ટર્સની 14માંથી 11 માગણીઓ સ્વીકારી છે. આ મુદ્દે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, મેડિકલ ટીચર એસોસિએશન સાથે ચર્ચા કરી, આજે સુખ અંત આવ્યો છે. GMERSના ફેકલ્ટી એસોસિએશનના હોદ્દેદારો સાથે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા તેમની પડતર માંગણીઓ સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં તેમના પ્રશ્નોને વિસ્તાર પૂર્વક સાંભળી તેમની મોટા ભાગની માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ સંદર્ભે GMERS કોલેજોના તબીબી શિક્ષકો માટે મહત્વપુર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત તેમને સરકારી મેડીકલ કોલેજોના તબીબી શિક્ષકોના કિસ્સામાં સાતમા પગાર પંચના સંદર્ભમાં જે ધોરણે NPA મંજુર કરવામાં આવે તે ધોરણે સાતમા પગાર પંચના ધોરણ મુજબ એન.પી.એ. મંજૂર કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યના સરકારી તબીબી શિક્ષકોને ગુજરાત મેડિકલ ટીચર્ચ એસોસિએશન (GMTA) NPA ના લાભો સાતમાં પગાર પંચ મુજબ ચુકવાશે.