ભાવનગરમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આગામી નવા શૈક્ષણિક સત્રમાં પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતીનો અભ્યાસ કરાવાશે
ભાવનગરમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની નવી જાહેરાત
પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતીનો કરાવાશે અભ્યાસ
આગામી નવા શૈક્ષણિક સત્રમાં કરવામાં આવશે સમાવેશ
ભાવનગરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક અગત્યની જાહેરાત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, આગામી વર્ષે શરૂ થનારું નવા શૈક્ષણિક સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતીનો અભ્યાસ કરાવાશે.
આગામી વર્ષે પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતીનો કરાવાશે અભ્યાસ
ભાવનગર યુનિવર્સિટીના 8 માં પદવીદાન સમારંભમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુવાઘાણીએ એક અગત્યની જાહેરાત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, આગામી વર્ષે શરૂ થનારું નવા શૈક્ષણિક સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતીનો અભ્યાસ કરાવાશે. જેથી આગામી નવા શૈક્ષણિક સત્રમાં આ અભ્યાસ ક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ઉપસ્થિત રહ્યાં હતાં
દિલ્હીના શિક્ષણ મોડલ પર AAPની ચેલેન્જ બાદ રાજકારણ ગરમાયું
ઉલ્લેખીય છે કે, દિલ્હીના શિક્ષણ મોડલ પર આમ આદમી પાર્ટીની ચેલેન્જ બાદ રાજકારણ ગરમાયું છે. મહત્વનું છે કે, શિક્ષણ મોડલના મુદ્દે મનિષ સિસોદીયાએ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને ચેલેન્જ આપી હતી. જે ચેલેન્જ બાદ AAP પ્રમુખ ગોપાલ ઇટાલીયાનું નિવેદન આપ્યું હતું કે, જીતુ વાઘાણીએ ચેલેન્જ સ્વીકારી નથી,ખાડે ગયેલા શિક્ષણની પોલ ન ખુલે તે માટે શિક્ષણમંત્રી ભાગ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, શિક્ષણમંત્રી અને ભાજપના ધારાસભ્યોને સરકારી સ્કૂલ બતાવવા આમંત્રણ આપ્યું છે. જે સ્કૂલ જોવા ઇચ્છતા હોય તે સ્કૂલમાં લઇ જઇશું. સચિવાલયમાં રૂબરૂમાં અમે આ આમંત્રણ પત્રિકા આપવા જઈશું અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને આમંત્રણ આપશું