મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં અધ્યપકના અલગ અલગ મંડળના પડતર પ્રશ્નનોનું મહત્વનું નિરાકરણ આવ્યું છે.
અધ્યાપકોના પ્રશ્નોને લઈને ગુજરાત સરકારની મોટી જાહેરાત
1-1-2016 થી કોલેજ અધ્યાપકના સ્થગિત પ્રમોશ પુનઃ સ્થાપિત કરાશે
મુખ્ચમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે યોજાયેલી કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ, ગુજરાત રાજય મહાવિદ્યાલય શૈક્ષિક સંધ, ગુજરાત રાજય અધ્યાપક મહામંડળ, ગુજરાત રાજય સરકારી અધ્યાપક મંડળ જેવા વિવિધ અધ્યાપક મંડળોની સતત રજુઆતોને ધ્યાનમાં લઇ ગુજરાત સરકાર ધ્વારા ગુજરાત રાજયના ઉચ્ચ શિક્ષણના અનેક પ્રશ્નો કે જેના લીધે થઇ અને ગુજરાત રાજયના નોકરીમાં કાર્યરત તથા નિવૃત્ત થયેલા પ્રાધ્યાપકોને આર્થિક તથા વ્યવસાયિક તકલીફો પડતી હતી તેનું નિરાકરણ માટે આ નિર્ણયો કરાયા છે.
1-1-2016 થી કોલેજ અધ્યાપકના સ્થગિત પ્રમોશ પુનઃ સ્થાપિત કરાશે.
આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની મીટિંગમાં અધ્યાપકના અલગ અલગ મંડળોના પડતર પ્રશ્નો નિરાકરણ લાવવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે. કે, 1-1-2016 થી કોલેજ અધ્યાપકના સ્થગિત પ્રમોશ પુનઃ સ્થાપિત કરાશે. આ સાથે 1-2-2019 ના ઠરાવની શરત 8 પણ દૂર કરવામાં આવી છે. આ નિર્ણયના કારણે લગભગ 3500 પ્રાધ્યાપકોને આર્થિક તથા વ્યવસાયિક તકલીફો દુર થશે તેમજ છેલ્લા 6 વર્ષથી અટકેલા પ્રમોશનો તાત્કાલિક મળશે.
અધ્યાપકોને પ્રમોશન માટે સીસીસી અને હિન્દી પરીક્ષામાંથી મુક્તિ
શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે રાજ્યની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓ કાર્યરત અધ્યાપકોને પ્રમોશન માટે સીસીસી અને હિન્દી પરીક્ષામાંથી મુક્તિ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં અંદાજે 3500થી વધુ અધ્યાપકોને લાભ થશે. તા. 01-01-2023 પછી જે અધ્યાપકો CAS હેઠળ પ્રમોશન મળવાપાત્ર હશે તેવા અધ્યાપકોએ CCC પ્લસ તથા હિન્દી/ગુજરાતી પરીક્ષા પાસ કરવાની રહેશે. તેમજ કોલેજોના અધ્યાપકોને તેમની સેવાઓ દરમિયાન પ્રમોશન માટે CCC પ્લસ તથા હિન્દી/ગુજરાતી પરીક્ષા પાસ કરવી ફરજિયાત હતી. હવેથી આ પરીક્ષામાં મુક્તિ આપવાનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ અધ્યાપકો માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે.
આ સાથે જીતુ વાધાણીએ ઉમેર્યું છે કે, કોલેજના અધ્યાપકોને સાતમા પગાર પંચના લાભો તત્કાલિક અસરથી અપાશે. તેમજ નિવૃત અધ્યપકના પેન્શનના લાભ આપશે. આ સાથે તેમણે જાહેરાત કરી છે કે, 1-1-2023 પછી CS હેઠળના પ્રમોશન મળવાપાત્ર હશે તેમણે પરીક્ષા પાસ કરવી પડશે. તેમજ CCC, ગુજરાતી, હિન્દી પરીક્ષાઓ પણ પાસ કરવાની રહેશે. અને જે કોલેજોમાં પ્રિન્સીપાલની જગ્યા ખાલી છે તેને પણ ભરાશે તેમજ અધ્યાપકોને સળંગ નોકરીનો ફાયદો મળશે.
કેબિનેટ બેઠક પહેલા અલ્પેશ ઠાકોર અને CM ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક
આજે ગાંધીનગર ખાતે યોડજાયેલી કેબિનેટની બેઠક પહેલા અલ્પેશ ઠાકોર અને સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેને લઈને મુખ્યમંત્રી નિયત સમય કરતા વહેલા કાર્યાલયે પહોંચ્યા હતાં. આ બેઠકમાં વિધાનસભા ચૂંટણી તેમજ ચૂંટણીલક્ષી આયોજન અંગે પણ ચર્ચા થઈ હતી.