વર્ષ 2022-23 માટે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે શિક્ષણ અને કૌશલ વિકાસ ક્ષેત્ર માટે કેટલીય મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.
વર્ષ 2022-23 માટે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે શિક્ષણ અને કૌશલ વિકાસ ક્ષેત્ર માટે કેટલીય મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. વન ક્લાસ, વન ટીવી ચેનલ કાર્યક્રમનો વિસ્તાર કરતા 200 ટીવી ચેનલો વધારી છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્ર સરકારનું બજેટ આજે 1 ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ થઈ રહ્યું છે. આ વર્ષે 1 એપ્રિલથી શરૂ થતાં નાણાકીય વર્ષ માટે અલગ અલગ ક્ષેત્ર માટે નાણામંત્રી સામાજિક સંરચના, રોજગાર અને માનવ વિકાસ સેક્શનમાં આવતા શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વની જાહેરાતો કરી છે.
વર્ષ 2022-23ના બજેટ ભાષણ દરમિયાન શિક્ષણને લઈને કરવામાં આવેલી જોગવાઈઓથી દેશવાસીઓને વાકેફ કર્યા છે. જે અંતર્ગત ધોરણ 1થી 12 માટે વન ક્લાસ, વન ટીવી ચેનલ કાર્યક્રમનો વિસ્તાર 200 ટીવી ચેનલ સુધી કર્યો છે. જેમાં સ્થાનિક ભાષામાં શિક્ષણનો પ્રસાર વધારવાનો પણ અભિગમ રહેલો છે. સાથે જ ઈંકંટેંટને વધારવા માટે એક ડિજીટલ યુનિવર્સિટીની પણ સ્થાપના થશે.