વડોદરાની એક સભામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, વિધાનસભાના આગામી સત્રમાં લવ જેહાદનો કાયદો લાવીશું.
વડોદરામાં CM રૂપાણીનું મોટું નિવેદન
આગામી વિધાનસભામાં લવ જેહાદનો કાયદો લાવીશું
ભૂમાફિયાઓ સામે સરકાર કાયદો લાવીઃ CM
વડોદરામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લવ જેહાદ વિરુદ્ધી કાયદા અંગે એક નિવેદન આપ્યું છે. મુખ્યપ્રધાને કહ્યું કે, વિધાનસભાના આગામી સત્રમાં લવ જેહાદનો કાયદો લાવીશું. મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ આ કાયદાની ચર્ચાઓ ઉઠી છે.
વડોદરામાં ભાજપની સભા દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતને ઉત્તમ અને સર્વોત્તમ બનાવીશું. જેના માટે ભૂમાફિયાઓ સામે પણ સરકાર કાયદો લાવશે. સાથે લવ જેહાદના કાયદા અંગે પણ એલાન કર્યું છે. તો સાથે કોંગ્રેસને નેતૃત્વ વિનાની ડૂબતી નાવ ગણાવી હતી. વડોદરામાં અનેક જાહેરાત સાથે જણાવ્યું કે, સુરત, જામનગર, ભાવનગરમાં મેટ્રો શરૂ કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.