આ સમાચાર એ ખેડૂતો માટે છે જેઓએ ખેતી માટે બેંકથી લોન લીધી છે. જો તેઓ આવનારા 7 દિવસમાં કિસાન ક્રેડિટ કાર્ડ પર લીધેલા રૂપિયા જમા નહીં કરે તો તેમને 4ને બદલે 7 ટકા વ્યાજ આપવું પડશે. ખેતીની લોન પર સરકારે 31 ઓગસ્ટ સુધી રૂપિયા જમા કરવાની સુવિધા આપી છે.
ખેડૂતો માટે આવ્યું મોટું એલર્ટ
7 દિવસમાં જમા કરાવવાના રહેશે કેસીસીના રૂપિયા
4ને બદલે 7 ટકાનું વ્યાજ આપવાનું રહેશે
સમાન્ય રીતે કેસીસી પર લેવાયેલી લોનને 31 માર્ચ સુધી પરત કરવાની હોય છે. ત્યારબાદ ખેડૂત ફરીથી નવા વર્ષ માટે રૂપિયા લઈ શકે છે. જે ખેડૂત સમજદાર છે તે સમય પર રૂપિયા જમા કરીને વ્યાજમાંથી છૂટનો લાભ લે છે. 2-4 દિવસ બાદ ફરીથી રૂપિયા કાઢી લે છે. આ રીતે બેંકમાં તેમનો રેકોર્ડ પણ સારો રહે છે. ખેતી માટે રૂપિયાની અછત રહેતી નથી. હવે છૂટ મળવાની સંભાવના ઘટી છે. કેમકે લોકડાઉન પૂરું થયું છે અને ખેતી પણ હવે રૂટિનમાં આવી છે.
મોદી સરકારે લોકડાઉનને જોતાં તેને 31 માર્ચથી વધારીને 31 મે કરી છે. તેને વધારીને 31 ઓગસ્ટ કરી હતી. આનો અર્થ એ કે કેસીસી કાર્ડના વ્યાજને ફક્ત 4 ટકા પ્રતિ વર્ષના જૂના રેટ પર 31 ઓગસ્ટ સુધી ભરી શકાય છે. નહીં તો પછી તે મોંઘુ પડી શકે છે.
કેસીસી પર કઈ રીતે ઓછું લાગે છે વ્યાજ
ખેતી કરનારા ખેડૂતો માટે કેસીસી પર લેવાયેલા 3 લાખ રૂપિયાની લોનના વ્યાજ દર 9 ટકા છે. સરકાર તેમાં 2 ટકા સબ્સિડી આપે છે. આ 7 ટકાની છે. સમય પર લોન આપવાથી 3 ટકાની વધારે છૂટ મળે છે. આ રીતે જાગૃત ખેડૂત માટે તે 4 ટકાની રહે છે. બેંક ખેડૂતને સૂચિત કરીને 31 માર્ચ સુધી લોન ચૂકવે છે. તે સમયે ઉધારનું બેંકને ચૂકવણી કરાતી નથી તો તેને 7 ટકાનું વ્યાજ આપવાનું રહે છે.
2.5 કરોડ ખેડૂતને લોન આપવાનો છે પ્લાન
પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમ અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના લાભાર્થીઓ વચ્ચે 2.5 કરોડ લોકોનું અંતર છે. કેસીસી મેળવવાની તૈયારીમાં સરકાર જોડાઈ ચૂકી છે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાસ ચૌધરીના આધારે અઢી કરોડ ખેડૂતોને 2 લાખ કરોડ રૂપિયાના સરળતાથી ક્રેડિટ કાર્ડ મળશે. સરકારની કોશિશ છે કે કોઈ પણ ખેડૂત સાહુકારથી લો ન લે કારણ કે તેમના વ્યાજદર ઘણા વધારે હોય છે.ખેડૂત ઉધારના દુષ્ચક્રથી બહાર નીકળી શકતો નથી. સરકારી લોન લેવા પર વાર્ષિક 4 ટકા વ્યાજ લાગે છે. દેશમાં કોઈ પણ લોન પર તે ઓછું છે. દેશમાં અત્યારે આઠ કરોડ કેસીસી ધારકો છે.