બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌત સતત સોશ્યલ મિડીયા પર એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં જ ટ્વિટરે તેના પર એક્શન લીધી છે અને તેની કેટલીક ટ્વિટ ડિલીટ કરી દીધી છે.
કંગના પર ટ્વિટરનું એક્શન
કરી દીધી ટ્વિટ્સ ડિલીટ
ખેલાડીઓને કહ્યાં હતા ધોબીના કુતરા
ખડૂત આંદોલનના સપોર્ટમાં ઘણા સેલેબ્સ આવ્યા છે ત્યારે ઇન્ટરનેશનલ સેલેબ રિહાન્નાની ટ્વિટ બાદ અન્ય સેલેબ્સે પણ સમર્થન કર્યુ છે. જેના પર કંગનાએ પ્રતિક્રિયા આપી હતી જે ટ્વિટરના નિયમો વિરુદ્ધ હતી જેથી ટ્વિટરે આપત્તિજનક ટ્વિટ્સ હટાવી દીધી છે.
કંગનાની ટ્વિટ ડિલીટ કર્યા બાદ ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું કે, અમે તે ટ્વિટ પર એક્શન લીધુ છે જે ટ્વિટ્સ નિયમોનુ ઉલ્લંઘન કરી રહ્યું હતુ. હવે કંગનાની તે વિવાદિત ટ્વિટ્સ તેના હેન્ડલ પર નથી જોવા મળી રહ્યાં. આ ટ્વિટમાં તે ટ્વિટ પણ સામેલ હતુ જેમાં તેણે ક્રિકેટર્સની તુલના ધોબીના કુતરા સાથે કરી હતી.
તમને જણાવી દઇએ કે, ઓગસ્ટ મહિના પહેલા કંગનાની ટીમ તેનુ ટ્વિટર હેન્ડલ સંભીળતી હતી હવે તે કંગના પોતે સંભાળે છે. સુશાંતની મોત બાદ કંગનાએ હવાલો પોતાના હાથમાં લીધો હતો.
કંગનાએ વાળ્યો જવાબ
આ મુદ્દે જો કે બોલિવૂડની પંગા ગર્લ પણ પાછળ રહી નથી અને રિહાન્નાને જવાબ વાળતા કંગના રનૌતે લખ્યું હતું કે અહી કોઈ પણ ખેડૂતોની વાત એટલે નથી કરી રહ્યું કેમ કે તેઓ ખેડૂતો નથી પણ આતંકીઓ છે, જે ભારતનું વિભાજન કરવા માંગે છે, જેથી ચીન જેવા દેશ અમારા દેશ પર કબજો જમાવી શકે, અને યુએસ જેવી ચીની કોલોની બનાવી નાખે. અમે તમારા જેવા મૂર્ખ નથી કે અમારા દેશને વેચી નાખીએ.
શું કહી રહ્યા છે લોકો?
રિહાન્નાએ આ મામલે ટ્વિટ કરીને ખેડૂતોના આંદોલનને ફરીથી ટ્રેન્ડિંગ બનાવી દીધું છે, આ મામલે તેના ફેન્સ અને આંદોલનના સમર્થકો તેને ટેકા માટે આભાર માની રહ્યા છે જો કે અમુક લોકો એવા પણ છે જે કંગનાનો સપોર્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ લોકોને ભારતની આંતરિક બાબતમાં માથું મારવાનીન જરા પણ જરૂર નથી, આમ બંને પક્ષોના લોકો પોતપોતાની પ્રતિક્રિયા મૂકી રહ્યા છે, [પણ એટલું ચોક્કસ છે કે આ આંદોલનરિહાન્નાના ટ્વિટથી ઘણા લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહેશે.