જમ્મુ કાશ્મીરમાં વાતવાતમા પથ્થરબાજીનો સહારો લેનાર લોકોની હવે ખેર નથી. જમ્મુ વહિવટીતંત્ર દ્વારા પથ્થરબાજોની સામે એક કડક નિર્ણય લેવાયો છે.
જમ્મુ કાશ્મીરમાં હિંસા કરનાર ઉપદ્રવીઓને હવે ખેર નથી
શાસનની લાલ આંખ, પથ્થરબાજોને હવે નહીં મળે નોકરી
સરકારી નોકરી પર પાબંધીની ઉપરાંત વિદેશ પણ નહીં જઈ શકે
તમામ સંબંધિત વિભાગો અને અધિકારીઓને મોકલાયો આદેશ
હવેથી રાજ્યમાં પથ્થરબાજીમાં સામેલ લોકોને નોકરી નહીં મળે કે તેમણે વિદેશ જવા માટે પાસપોર્ટ પણ નહીં મળે. મીડિયા રિપોર્ટ અનુસાર, જમ્મુ કાશ્મીરમાં પથ્થરબાજોને હવે દેશદ્રોહી જાહેર કરવામાં આવશે. આવા લોકોને જમ્મુ કાશ્મીર સરકારમાં સરકારી નોકરી પણ નહીં મળે કે વિદેશ જવા માટે પાસપોર્ટ પણ નહીં મળે.
મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો કે પથ્થરબાજો અને રાજ્ય તથા રાષ્ટ્રની સુરક્ષા માટે ખતરો પેદા કરનાર ગતિવિધિઓમાં સામેલ રહેનાર લોકોને પાસપોર્ટ પણ જારી નહીં કરવામાં આવે તેનાથી તેઓ વિદેશ પણ નહીં જઈ શકે.
આદેશમાં શું કહેવાયું
સૂત્રોના જણાવ્યાનુસાર, સીઆઈડીની વિશેષ શાખા કાશ્મીર તરફથી તમામ સંબંધિત અધિકારીઓ તથા જવાબદાર વિભાગોને આ સંબંધમાં આદેશ આપી દેવામાં આવ્યાં છે. આદેશમાં કહેવામાં આવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિની તપાસ કરવામાં આવે ત્યારે તે વાતનું ધ્યાન રાખવામા આવે કે તે કોઈ પણ પ્રકારની પથ્થરબાજી, દેશ અને રાજ્યની સુરક્ષા માટે ખતરો કરનાર અથવા કાયદાનો ભંગ કરનારી કોઈ પણ ગતિવિધિમાં સામેલ ન રહ્યો હોવો જોઈએ.