ભરૂચની અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર લોકોનાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે , એક ખાનગી કંપનીની દીવાલ ધરાશાયી થતા કામદારો દટાઈ ગયા હતા. જેમાંથી 4 ના મોત
અંકલેશ્વર GIDCમાં દુર્ઘટના
દીવાલ ધસી પડતા 4 ના મોત
તંત્રએ કાટમાળ હટાવવાનું કર્યું શરુ
ભરૂચની અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર લોકોનાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે , એક ખનાગી કંપનીની દીવાલ ધરાશાયી થતા કામદારો દટાઈ ગયા હતા. જેમાંથી 4 નાં મોત થયાના સમાચાર છે. ઘટનાસ્થળે અંકલેશ્વર GIDC પોલીસની ટીમ પહોચી છે તો સ્થાનિક તંત્રએ દીવાલનો કાટમાળ ખસેડવા કામગીરી હાથધરી છે. કેટલા લોકો દીવાલ નીચે હજુ દબાયેલા છે તે અંગે કોઈ માહિતી પ્રાપ્ય નથી.
ભરૂચ અંકલેશ્વર GIDCમાં સમયાંતરે દુર્ઘટનાઓ ઘટતી રહે છે ક્યારેક આગ લાગવાની ઘટના તો ક્યારેક દીવાલ ધસી પડવાની તો ક્યારેક ગેસ ગળતર. ક્યારેક ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળે છે.ત્યારે, મોટા ભાગે તેમાં શામીકોએ જ વેઠવાનું આવે છે. ના કોઈ કાયદા, કે નાં કોઈ પાલન. ના કોઈ શ્રમિકોને મહેનતાણું કે નાં તો કોઈ વળતર. માત્ર મજૂરીયા ગણીને ધંધો ચલાવતી આવી કંપનીઓ તરફ રોષ વધતો જાય છે.