યુપીમાં સત્તામાં રહેલી પાર્ટી ફરી સત્તામાં નથી આવતી. આ વચ્ચે મોદી-યોગીની જોડીએ કમાલ કરી નાંખ્યો અને સપા અને તેના ગઠબંધનની જે આશાઓ હતી તેના પર પાણી ફેરવી દીધું છે.
યુપીમાં ભાજપની પ્રચંડ જીત
સપા-કોંગ્રેસના સુપડા સાફ
રાજ્યમાં ફરી વળી મોદી-યોગીની આંધી
યુપીમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. આ પરિણામે ફરી સાબિત કરી દીધું છે કે લોકોને યોગી પસંદ છે..મોદી પસંદ છે.ચૂંટણી પહેલા દાવા થઈ રહ્યા હતા કે અખિલેશ યાદવ યોગીને કાંટે કી ટક્કર આપી રહ્યા છે..અને આ વખતે રાજ્યમાં સપાની સરકાર રચાશે.કારણ કે યુપીનો ઈતિહાસ રહ્યો છે કે સત્તામાં રહેલી પાર્ટી ફરી સત્તામાં નથી આવતી .જનતા સત્તા પરિવર્તન કરે છે. પરંતુ આ વખતે મોદી-યોગીની જોડીએ કમાલ કરી નાંખ્યો અને સપા અને તેના ગઠબંધનની જે આશાઓ હતી તેના પર પાણી ફેરવી દીધું છે.
ક્યા અખિલેશ ગયા નિષ્ફળ
યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની એકતરફી પ્રચંડ જીત થઈ છે. રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી અને જેની જીતના મોટા મોટા દાવા થઈ રહ્યા હતા. પોલિટિકલ પંડિતોથી લઈ રાજકીય વિશ્લેષકો અને ભાજપ વિરોધી પાર્ટી અખિલેશને મુખ્યમંત્રી તરીકે જોવા લાગ્યા હતા...તે સપાના સુપડા સાફ થઈ ગયા છે. જનતાએ અખિલેશને સમર્થન નથી આપ્યું...આખરે કેમ મોટા મોટા વાયદા અને દાવા પછી પણ જનતાએ અખિલેશ અને તેમના ગઠબંધનને કેમ નકારી દીધું?...આના કારણોની વાત કરીએ તો લૉ એન્ડ ઓર્ડરના મુદ્દા પર અખિલેશ ફેલ, ખેડૂત આંદોલનનો ન ચાલ્યો મુદ્દો...રખડતા ઢોરના મુદ્દાને જનતાએ નકાર્યા. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે લો એન્ડ ઓર્ડરના મુદ્દા પર સંપૂર્ણ ફેલ રહ્યા. જનતા ભાજપના શાસનમાં પોતાને સુરક્ષિત મહેસુસ કરી રહી છે...યોગી સરકારની સુરક્ષા વ્યવસ્થા પર જનતાએ મહોર મારી અને અખિલેશે આ મુદ્દે ઉઠાવેલા સવાલોને યુપીવાસીઓએ સંપૂર્ણ રીતે નકારી દીધા.
ગઠબંધન નિષ્ફળ
તો સમાજવાદી પાર્ટીએ આ વખતે નાની નાની અનેક પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું હતું..જેમાં સૌથી મુખ્ય જયંત ચૌધરીની RLD હતી. RLDનું પશ્ચિમ યુપીમાં સારી પકડ છે. .જયંત ચૌધરી પોતે જાટ સમાજમાંથી આવે છે. અને કૃષિ કાયદા વિરુદ્ધ થયેલા ખેડૂત આંદોલનમાં જાટ સમાજે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ખેડૂત આંદોલનની પંજાબ, હરિયાણા પછી સૌથી વધારે અસર વેસ્ટ યુપીમાં હતી...અને તેથી જ અખિલેશે જયંત ચૌધરી સાથે ગઠબંધન કરી ખેડૂત આંદોલનનો ફાયદો લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્રધાનમંત્રી મોદીએ કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરતાં જ આ મુદ્દો જાણે ખોરંભે ચડી ગયો...અને યુપીના જાટોએ ખેડૂત આંદોલન નહીં પણ હિન્દુત્વ અને સુરક્ષાના મુદ્દે મત આપ્યા. .જેના કારણે સપાનું ગઠબંધન ફેલ થઈ ગયું...એટલું જ નહીં બ્રાહ્મણોને રીઝવવા માટે સપાએ ખુબ પ્રયાસો કર્યા પરંતુ તે ભાજપ સામે ન ટકી શક્યું..
.તો યુપીના ગ્રામિણ વિસ્તારોમાં લોકો રખડતા પશુઓને કારણે નારાજ જોવા મળી રહ્યા હતા...અને આ મુદ્દાને સપાએ ખુબ જોરશોરથી ઉઠાવ્યો હતો પરંતુ તે પરિણામોમાં ન બદલાઈ શક્યો..અખિલેશે આ મુદ્દાને ખુલ્લા મંચ પરથી ઉઠાવ્યો અને સપાની સરકાર આવ્યા બાદ આ રખડતા જાનવર પર લગામ લગાવવાની વાત કરી હતી. આજના પરિણામ એ બતાવે છે કે રખડતા ઢોરનો મુદ્દો યુપીમાં કોઈ મોટો મુદ્દો ન હતો.
વોટ શેરમાં સપા નીકળ્યો આગળ
યુપીમાં સપાએ બેરોજદારી, મોંઘવારી, રખડતા ઢોરની સમસ્યા જેવા મુદ્દા ઉછાળીને યોગી આદિત્યનાથ પાસેથી સત્તા છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો...પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા...જો કે અખિલેશ અને સપાની હારમાં પણ થોડીક ખુશી સમાયેલી છે તે પણ તમારે જાણવી જોઈએ 2017ની સરખાણીએ સપાના જનાધારમાં વધારો થયો છે...પાંચ વર્ષ પહેલા સપાને 21.8 ટકા વોટ મળ્યા હતા...જેમાં આ વખતે 10 ટકાના વધારા સાથે 32 ટકા મત મળ્યા છે...જે સપા માટે શુભ સંકેત છે.
બે લોકસભા-બે વિધાનસભામાં મળીને ચોથી હાર
તો 2017માં સપાએ ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડી તો 47 બેઠકો મળી હતી...જેમાં આ વખતે વધારો થયો છે અને સપા 100ને પાર પહોંચી ગઈ છે...સપા માટે યુપીમાં આ ચોથી હાર છે...પાર્ટીએ 2014ની લોકસભા ચૂંટણી, 2017ની વિધાનસભા ચૂંટણી, 2019ની લોકસભા ચૂંટણી, અને 2022માં વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ વધેલા વોટ શેર અને સીટ સાથે પાર્ટી પોતાના કાર્યકરોને મનોબળ ઘટતા બચાવી શકે છે
તો આ ચૂંટણીમાં રાજ્યના એક સમયના મુખ્યમંત્રી માયાવતીના હાલ બેહાલ થયા છે...માયાવતીની પાર્ટીની જનાધાર સતત ઘટી રહ્યો છે. આ વખતે બસપાનો વોટ શેરમાં 10 ટકાનો ઘટાડો આવ્યો છે. જ્યારે સપાના વોટ શેરમાં વધારો થયો છે...એક રીતે જોઈએ તો બસપા વિખેરાઈ ગયેલા વોટ શેરને સપા પોતાની ઝોલીમાં નાંખવા માટે સફળ રહી છે...પહેલા જે લઘુમતિ સમાજનો એક મોટો હિસ્સો બસપાના ખાતામાં જતો હતો તે હવે સપાના ખાતામાં આવ્યો છે. પરંતુ સપાએ હારનો સામનો કરવો પડ્યો છે તે સત્ય છે.