પરણિત મહિલાઓ માટે હિંદૂ ધર્મમાં કેટલીય પરંપરાઓ રહેલી છે.તેમાંથી એક પગમાં વિંછીયા પહેરવા.વિછીંયા સાથે એક માન્યતા જોડાયેલી છે કે જો તે યોગ્ય રીતે પહેરવામાં ના આવે તો તે સમસ્યા સર્જી શકે છે.
પરણિત મહિલાઓ માટે ફાયદાકારક છે વિંછીંયા
સોનાના વિંછીયા પહેરવા માનવામાં આવે છે અશુભ
બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે
ભારતીય શાસ્ત્રો પ્રમાણે વિંછીયાને ચંદ્રનું પ્રતિક ગણવામાં આવે છે.તે પહેરવાથી ચંદ્રની કૃપા પ્રાપ્ત થાય છે.એક માન્યતા પ્રમાણે વિછીંયા ક્યારેય પગમાંથી ખોવાઇ ના જવા જોઇએ. અથવા એકવાર પહેરેલા વિંછીયા કોઇને ઉપહાર સ્વરૂપે ના આપવા જોઇએ.આમ કરવાથી તમારા પતિ પર ખરાબ અસર પડશે અને તે બિમાર પડી શકે છે.આ સાથે વિછીંયા આર્થિક નુકસાન પણ કરાવી શકે છે.અથવા દેણદાર બનાવી શકે છે.
સોનાના વિંછીયા પહેરવા અશુભ
પરણિત મહિલાઓએ માત્ર ચાંદીના વિંછીયા પહેરવા જોઈએ. સોનાના અંગૂઠામાં પહેરવું અશુભ માનવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર મહિલાઓએ માત્ર માથાથી કમર સુધી સોનાના ઘરેણા પહેરવા જોઈએ. પગમાં સોનું પહેરવું અશુભ છે. વાસ્તવમાં ચાંદીનો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે છે. બીજી તરફ, સોનાનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે અને તેને પગમાં પહેરવાથી તેમનું અપમાન થાય છે, તેથી તેમના પગમાં સોનું ન પહેરવું જોઈએ. બીજી તરફ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ચાંદીની અસર ઠંડી હોય છે અને તેનાથી પગને ફાયદો થાય છે.
લક્ષ્મીજીનો હોય છે વાસ
ભારતીય શાસ્ત્રો પ્રમાણે વિવાહિત મહિલાઓએ વિંછીયા ડાબા અને જમણાં પગની બીજી આંગળીમાં પહેરવા જોઇએ.એક માન્યતા પ્રમાણે ચાંદીના ઝાંઝર અને વિછીંયા લક્ષ્મીજીના વાહક ગણવામાં આવે છે.એટલે માટે તેનું ખોવાઇ જવું અશુભ માનવામાં આવે છે.એટલા માટે તેને સાવધાની પૂર્વક સાચવવા જોઇએ.
બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે
જ્યોતિષ સિવાય આધુનિક સાયન્સ પણ વિછીંયા સાથે જોડાયેલ લાભો વિશે જણાવે છે.મહિલાઓની બીજી આંગળીની તંન્ત્રિકાનો સીધો સંબંધ ગર્ભાશય સાથે રહેલો છે.જે હ્રદય પાસેથી પસાર પણ થાય છે.આ કારણે વિછીંયા પહેરવાથી BP પર કાબૂ રહે છે.