બ્રેકિંગ ન્યુઝ
VTV / biahr election 2020 third phase voting start
Divyesh
Last Updated: 08:30 AM, 7 November 2020
ADVERTISEMENT
બિહાર વિધાનસભાની ચૂંટણીનું અંતિમ તબક્કામાં 15 જિલ્લાની 78 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. વિધાનસભા અધ્યક્ષ સહિત 12 મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. આ તબક્કામાં 1094 પુરૂષ અને 110 મહિલા ઉમેદવાર છે, જ્યારે 33,782 બુથોમાંથી 4999 બુથોને સંવેદનશીલ જાહેર કરાયાં છે. પ્રથમ બે તબક્કામાં 165 બેઠકો પર મતદાન થયું.
પોતાની અંતિમ ચૂંટણી હોવાનું નિવેદન આપી ત્રીજા તબક્કાના મતદાન અગાઉ નીતિશ કુમારે ઇમોશનલ કાર્ડ ખેલ્યું હતું.
ADVERTISEMENT
बिहार विधानसभा चुनावों में आज तीसरे और आखिरी चरण का मतदान है। सभी मतदाताओं से मेरी विनती है कि वे अधिक से अधिक संख्या में लोकतंत्र के इस पावन पर्व में भागीदार बनें और वोटिंग का नया रिकॉर्ड बनाएं। और हां, मास्क पहनने और सोशल डिस्टेंसिंग का ध्यान भी अवश्य रखें।
— Narendra Modi (@narendramodi) November 7, 2020
પીએમ મોદીએ આપ્યો આ સંદેશ
બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે. આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં આજે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન છે. બધા મતદારોને મારી અપીલ છે કે તેઓ વધુમાં વધુ લોકશાહીના આ પર્વમાં ભાગીદાર બને અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે.
बिहार में तीसरे व अंतिम चरण के सभी मतदाताओं से अपील करता हूँ कि आप अपने मत अधिकार का उपयोग कर अधिक से अधिक संख्या में मतदान करें।
— Amit Shah (@AmitShah) November 7, 2020
विशेषकर युवाओं से आवाहन करता हूँ कि बिहार में विकास और सुशासन को बनाए रखने के लिए बढ़चढ़ कर मतदान करें और दूसरों को भी इसके लिए प्रोत्साहित करें।
અમિત શાહે વિકાસ અને સુશાસન બનાવી રાખવા મતદાન કરવા અપીલ કરી
ગૃહમંત્રી અમિત શાહે ખાસ યુવાઓને બિહારમાં વિકાસ અને સુશાસન બનાવી રાખવા માટે મતદાન કરવા અપીલ કરી. અમિત શાહે લખ્યું કે બિહારમાં ત્રીજા અને અંતિમ તબક્કા માટે બધા મતદારોને અપીલ કરુ છું કે તેઓ પોતાના મતાધિકારનો ઉફયોગ કરે અને મોટી સંખ્યામાં મતદાન કરે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT