SBIએ પોતાના 44 કરોડ ખાતાધારકો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે.
SBIની પોતાના ગ્રાહકો માટે જાહેરાત
આ બે દિવસ બંધ રહેશે બેન્કની આ સર્વિસ
કામ પતાવી લેવા બેન્કની અપીલ
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના 44 કરોડ ખાતાધારકો માટે મહત્વપૂર્ણ સુચના જાહેર કરી છે. બેન્કે ટ્વીટ કરીને પોતાના ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે અને તેમને પોતાની જરૂરીયાતના હિસાબે બેન્કિંગ સંબંધી કોમાને પહેલાથી પતાવી લેવાની અપીલ કરી છે. બેન્કે પોતાના ગ્રાહકો માટે જરૂરી સૂચના જાહેર કરી કહ્યું છે કે બેન્કની અમુક જરૂરી સર્વિસ આજ અને કાલે બંધ રહેશે.
6 અને 7 ઓગસ્ટે બંધ રહેશે આ સેવાઓ
હકીકતે એસબીઆઈએ ટ્વીટર પર કહ્યું કે સિસ્ટમ મેન્ટેનન્સના કારણે 6 અને 7 ઓગસ્ટે બેન્કની અમુક સેવાઓ બંધ રહેશે. આ સેવાઓમાં ઈન્ટરનેટ બેન્કિંગ, Yono, Yono Lite અને UPI સર્વિસ શામેલ રહેશે. SBIએ ટ્વીટના માધ્યામથી કહ્યું છે કે સેવાઓ 6 અને 7 ઓગસ્ટની રાતે 10.45 મિનિટથી મોડી રાત 1.15 મિનિટ સુધી સેવાઓ ઉપલબ્ધ નહીં રહેશે.
શા માટે બંધ રહેશે આ સર્વિસ?
SBI દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, આવું એટલા માટે કારણ કે બેન્ક આજે પોતાના UPI પ્લેટફોર્મને અપગ્રેડ કરશે. જેથી કસ્ટમર એક્સપીરિએન્સને વધુ સારૂ બનાવી શકાય. આ સમયે ગ્રાહકોના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન બંધ રહેશે.