ભુતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હજારો દીવા પ્રગટાવ્યા અને પ્રાર્થના કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વ વિદેશ મંત્રી માટે બુધવારે વિશેષ પ્રાર્થના સિંમ્ટોખા દજોંગમાં યોજવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભુતાનના બ્રોડકાસ્ટિંગ સર્વિસના રિપોર્ટ અનુસાર વાંગચુકે સ્વરાજને પરિવારને શોક સંદેશ પાઠવ્યો હતો. વર્ષ 2014 થી 2019 સુધી વિદેશ મંત્રી પદે રહેલા સુષમા સ્વરાજનું મંગળવારના રોજ નિધન થયું હતું. તેઓ 67 વર્ષના હતા. નોંધનીય છે કે, પૂર્વ પ્રધાનમંત્રી શેરિંગ તોબગે બુધવારે નવી દિલ્હી ખાતે સુષમા સ્વરાજના અંતિમ સંસ્કારમાં પણ જોડાયા હતા.
67 વર્ષની વયે થયું નિધન
પરંતુ તેમની બચાવી ન શકાય અને 67 વર્ષની વયે તેમનું દેહાવસાન થયું હતું. તેમના નિધન અંગેના સમાચારને પગલે ભાજપે પક્ષના દિગ્ગજ નેતા ગુમાવ્યા છે. તેમના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા દિગ્ગજ નેતાઓ એઇમ્સ પહોંચ્યા હતા.
2016 માં કરાઇ કિડની ટ્રાન્સપ્લાન્ટ
હાલ હોસ્પિટલમાં સુષમા સ્વરાજના પતિ તથા તેમના પરિવારના સભ્યો તથા પાર્ટીના કેટલાક નેતાઓ હાજર છે. નોંધનીય છે કે, તેમની તબિતય છેલ્લા કેટલાક સમયગાળાથી ખરાબ હતી. 10 ડિસેમ્બરના રોજ તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.
બિમારીને કારણે ન લડ્યા 2019ની લોકસભા ચૂંટણી
અત્રે જણાવી દઇએ કે, સુષમા સ્વરાજની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેઓ 2019ની ચૂંટણી લડ્યા નહોંતા. 2014માં સુષમા સ્વરાજે ભારત સરકારનો વિદેશ મંત્રાલયનો પદભાર સંભાળ્યો હતો. ભાજપના શાસન દરમિયાન સુષમા સ્વરાજ દિલ્હીના મુખ્યમંત્રી પદને પણ શોભાવી ચૂક્યા છે. પ્રથમ વખત તેઓ દિલ્હીના મહિલા મુખ્યપ્રધાન બન્યા હતા.
નિધનના 4 કલાક પહેલા જ ટ્વીટર પર કર્યું અંતિમ ટ્વીટ
સુષમા સ્વરાજે 370 કલમને અનુલક્ષીને પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવતું એક ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું કે, હું મારા જીવનમાં આ દિવસ જોવાની પ્રતિક્ષા કરી રહી હતી.