સુરતના વરાછા વિસ્તારમાં ફરી ભૂરી ડોન ગેંગનો આતંક સામે આવ્યો છે અહિયા આરોપીઓએ મસાજ પાર્લર શોપમાં ઘૂસીને 28 હજારની રોકડ રકમ તેમજ મોબાઈળ ફોનની લૂંટ કરી છે.
સુરતમાં ભૂરી ડોન ગેંગનો આતંક આવ્યો સામે
મસાજ પાર્લરમાં ઘુસીને કરી લૂંટ
28 હજાર રોકડા અને ફોન લૂંટીને ફરાર
ડાયમંડ સીટીમાં દિવસેને દિવસે ગુનાખોરી વધતી જોવા મળી રહી છે. શહેરના વરાછા વિસ્તારમાં ફરી એક વાર ભૂરી ડોન ગેંગનો આતંક જોવા મળ્યો છે. ભૂરી ડોન ગેંગના સભ્યોએ વરાછા વિસ્તારમાં આવેલ મસાજની દુકાનમાં ઘુસીને છરી બતાવીને લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે. જેમા આરોપીઓ 28 હજારની રોકડ રકમ અને મોબાઈલની લૂંટ કરીને જતા રહ્યા.
પહેલા પણ ગેંગ સામે અનેક ગુના નોંધાયા છે
આપને જણાવી દઈએ કે ભૂરી ડોન ગેંગ સામે અનેક ગુના નોંઘાઈ ચુક્યા છે. જેમા તેમની સામે ખંડંણી મારામારી અને અપહરણ સહિતના કેસો સાથે લૂંટના કેસો પણ નોંધાયા છે. અગાઉ પણ ભૂરી ગેંગ અનેક વખત વિવાદોમાં આવી ગઈ છે. ત્યારે હવે લોકોની માગ છે કે સુરત પોલીસ કમિશનર ભૂરી ડોન ગેંગ સામે કડક કાર્યવાહી કરે.
વેપારીઓમાં ભયનો માહોલ
આ બનાવને લઈને સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે સવાલો ઉઠી રહ્યા છે. સાથેજ લૂંટ થવાને કારણે હવે અહીયાના વેપારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ ભૂરી ડોન ગેંગના સભ્યોએ જાહેરમાં છરી સાથે મારામારી કરી હતી તેના સીસીટીવી બહાર આવ્યા હતા જે ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી.
લોકોના મનમાં ઉઠ્યા સવાલ
ઉલ્લેખનીય છે કે આ બનાવને લઈને લોકોના મનમાં ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. જેમા ભૂરી ડોન ગેંગનો આતંક ક્યારે ખતમ થશે તે સવાલ લોકોના મનમાં પહેલા ઉઠી રહ્યો છે. તે સિવાય લોકોના મનમાં એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે ભૂરી ડોન ગેંગને કોનો સપોર્ટ છે, સાથેજ પોલીસ ક્યારે આરોપીઓ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરશે તે પણ એક ગંભીર સવાલ ઉઠ્યો છે.