ભોપાલ બેઠક પર ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા તેમના નિવેદનોના કારણે વિવાદમાં ચાલી રહ્યા છે. ત્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે પણ હવે સાધ્વી પ્રજ્ઞા પર આરોપ લગાવ્યો છે.
ભૂપેશ બઘેલે દાવો કર્યો કે, સાધ્વી પ્રજ્ઞાએ છત્તીસગઢમાં એક યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો..શૈલેન્દ્ર દેવાંગન પર ચપ્પુથી હુમલો કર્યો હતો..જોકે તે સમયે કેટલાક લોકો વચ્ચે પડ્યા હતા.
ભોપાલ બેઠક પર ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા તેમના નિવેદનોના કારણે વિવાદમાં ચાલી રહ્યા છે. ત્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે પણ હવે સાધ્વી પ્રજ્ઞા પર આરોપ લગાવ્યો છે.
ભૂપેશ બઘેલે દાવો કર્યો કે, સાધ્વી પ્રજ્ઞાએ છત્તીસગઢમાં એક યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો..શૈલેન્દ્ર દેવાંગન પર ચપ્પુથી હુમલો કર્યો હતો..જોકે તે સમયે કેટલાક લોકો વચ્ચે પડ્યા હતા.
#WATCH: Chhattisgarh CM Bhupesh Baghel says,'...Pragya Thakur aadatan apradhi jaisa unka vyahwar raha hai, 19 saal pehle yahan chakubaazi ki thi, maar-peet ki thi, thodi-thodi baaton pe jhagda karti thi, to jhagdalu pravarti ki shuru se rahi hai.' pic.twitter.com/A7bJ4mUgb4
જેથી તેનો જીવ બચી ગયો હતો. બઘેલે કહ્યું કે કવર્ધામાં પણ ગાડી મામલે સાધ્વી પ્રજ્ઞાએ વિવાદ કર્યો હતો. ભાજપ આવા હિંસક લોકોને ટિકિટ આપીને ઉમેદવાર બનાવે છે. બઘેલે કહ્યું કે ભાજપને કોઈ સારા ઉમેદવાર નથી મળતા માટે સાધ્વી પ્રજ્ઞાને ભોપાલથી ટિકિટ આપી છે. મહત્વનું છે કે ઉમેદવાર બનાવ્યા બાદ સાધ્વી પ્રજ્ઞા પોતાના નિવેદનને લઈને વિવાદમાં ચાલી રહ્યા છે.
વિવિધ નિવેદનોને લઇને ચર્ચામાં છે સાધ્વી
ભોપાલ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ હવે બીજું એક વિવાદાસ્પદ નિવદન આપીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. સાધ્વી એ હવે કહ્યું છે કે તેઓ માત્ર બાબરી મસ્જિદની ઉપર ચઢ્યા જ નહોતા પરંતુ તેને તોડવામાં પણ મદદ કરી હતી.
Bhopal District Election Officer issued a notice to BJP candidate Pragya Singh Thakur & sought explanation within a day, for her remarks, 'I had demolished the structure (in Ayodhya). I will go there & help in the construction of Ram temple.' (File pic) #MadhyaPradeshpic.twitter.com/YUetDY9cxw
સાધ્વી પ્રજ્ઞાએ ભોપાલમાં કેમ્પેઇન દરમ્યાન બાબરી મસ્જિદને લઇ આ ટિપ્પણી કરી અને કહ્યું હતું કે, રામ મંદિર ચોક્કસ બનાવાશે. આ એક ભવ્ય મંદિર હશે.. મંદિરનું નિર્માણ કરીશું. આખરે અમે ઢાંચા ને ધ્વસ્ત કરવા માટે તો ગયા હતા.
મેં ઢાંચા પર ચઢીને તોડયો હતો. મને ગર્વ છે કે ઇશ્વરે મને એ તક અને શક્તિ આપી અને મેં આ કામ કરી દીધું. હવે તેઓ રામ મંદિર બનાવશે. ત્યારે ચૂંટણી પંચે પણ તરત એકશન લેતા સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી સંહિતાનું ઉલ્લંઘન કરવા માટે નોટિસ ફટકારી.