ગુજરાતમાં શિક્ષણની જે પરિસ્થિતિ છે તે ખરેખર દયનિય છે. તેમાંય સરકારી શાળા અને ખાનગી શાળા બંનેની હાલત એક જ જેવી છે. શિક્ષણધામ કરતા કોઈ બિઝનેસ પ્લાન જેવી સ્થિતિને પગલે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના નિવેદનને પગલે સોશિયલ મીડિયા ઉપર ભડકો થયો હતો.
ખાનગી શાળાના શિક્ષકોને ઓછો પગાર ચુકવાય છે
શાળા મર્જર ઉપર પણ કરી ટીપ્પણી
ટાગોર હોલ ખાતે કાર્યક્રમમાં આપ્યું નિવેદન
શિક્ષકોના પગાર મુદ્દે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું નિવેદનને પગલે વિવાદનો મધપૂડો છેડાયો છે. ખાનગી સ્કૂલમાં શિક્ષકોના પગાર મુદ્દે નિવેદન કર્યું છે. ટાગોર હોલમાં એક કાર્યક્રમ દરમિયાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ નિવેદન આપ્યુ હતુ કે, ખાનગી સ્કૂલમાં પગાર બરાબર નથી આપતા. આ નિવેદન તેમણે ટાગોર હોલ ખાતેના કાર્યક્રમમાં આપ્યું હતુ.
DPS મામલે પણ આપ્યુ મહત્વનું નિવેદન
DPSમાં ચાલતા નિત્યાનંદ આશ્રમ અંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્પષ્ટતા કરી છે. તેઓએ કહ્યું કે દિલ્લી પબ્લિક સ્કૂલ ગુજરાત બોર્ડની નથી તે CBSEની છે. અમે સ્કૂલને રાજ્યમાં મંજૂરી આપીએ છીએ તે અંતર્ગત જે પણ કામગીરી થશે તે કરીશું. રાજ્ય સરકારે સ્કૂલને નોટિસ આપી છે. અને હાલ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે.
બીજુ શું કહયુ
શાળાઓના મર્જર કરવા અંગે પણ ભૂપેન્દ્રસિંહે મહત્વનું નિવેદન આપ્યુ હતુ. સરકાર મર્જરને લઇને કોઇ ઉતાવળ નહી કરે. એક કિલોમીટરની અંદર આવેલી શાળાઓનું મર્જર થશે.
વ્યાજબી રજૂઆતો હશે તો પુનઃવિચારણા કરાશે . મર્જરને લઇ સરકારનું વલણ સકારાત્મક છે.