ગાંધીનગર: લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા બનાસકાંઠામાં વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ વિજય સંકલ્પ સંમેલન સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યુ હતું.
ત્યારે આ કાર્યક્રમમાં જાહેરમાં ભૂપેન્દ્રસિંહે રામ મંદિરને લઈને નિવેદન આપ્યુ હતુ. જેમાં તેમણે જ્યાં સુધી રામ મંદિરનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી મીઠાઈ ન ખાવાની બાધા રાખી હોવાનું કહ્યુ હતુ અને આ બાધા તેમણે 1990 - 91માં જ્યારે અડવાણીએ રામ મંદિરને લઈને રથયાત્રા નીકાળી હતી ત્યારથી રાખી હોવાનું જણાવ્યુ હતુ.
આમ, ફરી એકવાર ચૂંટણીને લઈને તેમણે રામ મંદિરનો રાગ આલાપ્યો હતો. મહત્વનું છે કે,2014ની લોકસભાની ચૂંટણી સમયે પણ ભાજપે રામ મંદિરનો રાગ આલાપ્યો હતો. પરંતુ 2014 થી 2019 સુધી કેન્દ્રમાં બહુમતીવાળી ભાજપની સરકાર હોવા છતા અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો વણઉકેલ્યો જ રહ્યો છે.