સુરત: ફી નિયમનના કેસ અંગે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ નિવેદન કર્યું હતું. તેમાં તેમણે જણાવ્યું હતું કે થોડા દિવસમાં ફી નિયમનનો કેસ SCમાં જશે. SCના કેસ માટે સારા વકીલ રાખવામાં આવશે. મારો વકીલ તરીકનો અનુભવ છે કે સારા સમાચાર આવશે.કેટલાક તત્વો માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાલીઓના હિતને નુકશાન નહીં થાય એટલે હું કઈ બોલતો નથી.
આવતીકાલે શાળા બંધ બાબતે ભપેન્દ્રસિંહ ચુડાસમાનએ નિવેદન કર્યું હતું કે શાળાઓ બંધ રાખવા કોઈ લોજીક નથી. કેટલાક લોકો શાળા બંધ કરી પબ્લિસિટી મેળવી રહ્યા છે. મારા માટે વાલીઓનું હિત અગત્યનું છે.